SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ મનુષ્યગણું–ત્રણે પૂર્વી, ત્રણે ઉત્તરા, આદ્રા, રેશહિણી અને ભરણું આ નવ નક્ષત્રો મનુષ્યગણ કહેવાય છે. રાક્ષસગણુ–કૃતિકા, મઘા, અશ્લેષા, વિશાખા, શતભિષા, ચિત્રા, જયેષ્ઠા, ઘનિષ્ઠા અને મૂલ આ નવ નક્ષત્રો રાક્ષસગણ કહેવાય છે. - જે સ્ત્રી-પુરૂષને એક ગયું હોય તે અત્યન્ત પ્રીતિ. દેવ અને મનુષ્યગણ હોય તે મધ્યમ પ્રીતિ. મનુષ્ય અને રાક્ષસગણ હોય તે મૃત્યુ તથા દેવ અને રાક્ષસ ગણ હોય તે અ ન્ય કલેશ થાય છે. જે કન્યાને રાક્ષસગણ હોય અને વરને મનુષ્યગણ હોય તે નિઃસંદેહ વરનું મૃત્યુ થાય છે. જે કન્યાને મનુષ્યગણ હેય અને વરને રાક્ષસગણ હોય તે શુભ ફલ આપે છે. નવ પંચમ વિચાર મીન અને કર્કનું, વૃશ્ચિક અને કર્કનું, કુંભ અને મિથુન નનું તથા મકર અને કન્યાનું નવ પંચમ હોય તે સારું નહીં. વરની રાશિથી પાંચમી રાશિ કન્યાની હેય અને કન્યાની રાશિથી નવમી રાશિ વરની હોય તે તે નવ પંચક વિકેણ ગ્રહણ કરવું. કારણ કે તે પુત્ર-પૌત્રની વૃદ્ધિ કરે છે. મૃત્યુ ષષ્ટકમ્ મેષ અને કન્યાનું, તુલા અને મનનું, મિથુન અને વૃશ્ચિકનું, મકર અને સિંહનું, કઈ અને કુંભનું તથા વૃષભ અને ધનનું એ રાશિઓનું મૃત્યુ કડક થાય છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy