SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચપરમેષ્ટિના નામ, ગુણ તથા વર્ણન પચ પરમેષ્ટિના નામ, ગુણ તથા વર્ણન ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ આ પંચ પરમેષ્ઠિ છે. અરિહંતના બાર ગુણ છે, તે આ પ્રમાણે – લોઢવૃક્ષ સુરપુષ્ટિ-ચિáનિયામરમાસનં ર ા भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। (૧) અશોકવૃક્ષ-જ્યાં ભગવાન સમવસર્યા હોય, ત્યાં પ્રભુના દેહથી બારગણું અશોકવૃક્ષ=આસપાલવનું ઝાડ દેવતાઓ રચે, તેની પાસે બેસીને પ્રભુ દેશના આપે. અશોકવૃક્ષ શકને દૂર કરે. (૨) સુરપુષ્પવૃષ્ટિ -ભગવાન એક જન સમવસરણની પૃથ્વી ઉપર જલ અને સ્થલમાં નિપજેલા સુગંધીદાર પંચવર્ણના સચિત્ત ફૂલોની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે. (૩) દિવ્યવનિ-દેવતાઓ ભગવંતની વાણીમાં માલકેશ રાગ, વીણ, વાંસળી આદિકના સ્વરે પૂરે. (૪) ચામર દેવે રત્ન જડિત સોનાની દાંડીવાળા ધેળા ચાર જોડી ચામ સમવસરણ મધ્યે ભગવંતને વજે છે. (૫) આસન=સિંહાસન. ભગવંતને બેસવા સારૂ રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ રચે છે. (૬) ભામંડલ-ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવા આકરા તેજવાળું ભામંડલ કાંતિનું મંડલ દેવતાઓ રચે છે. તે ન હોય તે ભગવાનના મુખ સામું જોઈ શકાય નહિ.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy