________________
થયેલા છ છ બૌદ્ધ ભિખુ શરત મુજબ ઉકળતા તેલકુંડમાં હેમાઈ ગયા, છતાં ય ધગધગતી રહેલી વેરની એ વેદીએ વધુ બલિદાન માટે રાડ નાખી. ત્યારે એક સંદેશ વાદળ બનીને વરસી ગયો અને વેરની એ વેદી બુઝાઈ ગઈ ! વેરના એ વેરાનમાં વાત્સલ્યની વનરાજી ખીલી નીકળી !
આ સંદેશે એટલે જ સમરાદિત્ય કથા ! વેરના પનારે પડીને, અગ્નિશર્માએ નેતરેલી દુઓની દદલી-દુનિયા અને વાત્સલ્યની વાટે-વાટે આગે બઢીને, ગુણસેન રાજાએ સર કરેલી સુખની સહામણ-સૃષ્ટિ, આનું મરણ થતાં જ શ્રી હરિભદ્રસૂરિજીનું અંતર પશ્ચાતાપની તીવ્રવ્યથાથી લેવાઈ ગયું. અને ૧૪૪૪ ગ્રંથ સર્જનનાં શ્રી ગણેશ એઓશ્રીએ આ “સમરાદિત્ય કથાથી માંડ્યા. પ્રાકૃત ભાષામાં રચાયેલી આ કૃતિ-સિરિમ-સમરાઈચ મહા-કહાને વિદ્વાનોએ એક “મહાકથા' તરીકે બિરદાવી.
આત્માના વિકાસક્રમમાં વેર-વિસર્જનનું મહત્વ ખૂબ જ અગત્યનું છે. ધમબીજનાં વાવેતર માટે કાળજાની ધરતી કેમળ હેવી અતિ આવશ્યક છે. કાળજાને કઠોર બનાવતું તત્વ “ક્રોધ' છે. ક્રોધના ધોધમાંથી જ વિરોધની વીજળી પેદા થાય છે. વિરોધની આ વીજળીને નાથવામાં ન આવે તે એ વીજ ધિબીજાને બાળી નાખે છે. અને બધિબીજ બળી જતા પછી વિકાસનું વૃક્ષ ધરાશાયી બની જ જાય એ તો દેખીતી-વાત છે! આમ, ધર્મબીજને