SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ હશ છે એટલી કર્મક્ષયની નથી પડી, એટલી કર્મક્ષયની હોંશ નથી! કાયાને જેટલી પંપાળવી છે, એટલી કચડવી નથી ! કેમ આમ ? ધર્મ સાથે ઓરમાયાપણું છે માટે. ધર્મ સાથે સાચી પિતાની સગાઈ થશે ત્યારે પલટો આવશે. મુનિએ ખીર લહેરી લીધી ! બાઈ તે અંદર ખૂબ જ ખુશી થઈ ! મહારાજ વહેરીને ગયા ! મા ખમણનું પારણું છે, મુકામના ગામ તરફ આવે છે. હજી ગામે પહોંચી શક્યા નથી, ત્યાં વાટમાં શરીર ખૂબ અશક્ત થયું. મનને લાગ્યું કે હવે ચાલવું મુશ્કેલ છે. હવે પારણું કરી લેવું પડશે ! ગુરુમહાજે રજા આપી દીધેલી કે શક્તિ પહોંચે તેમ કરજે. અધવચ્ચે ઝાડ નીચે જગાપૂજ-પ્રમાઈને બેઠા. ઈરિયાવહી વગેરે વિધિ કરી સ્વાધ્યાય કર્યો, આનું નામ સાધુતા. જિનાજ્ઞાનુસાર સૂત્ર-સ્વાધ્યાય અર્થાત્ જ્ઞાનભેજન પહેલું ! ચાલીને આવ્યા પછી માનસિક સ્વસ્થતા પહેલી ! પછી અન્નભેજન ! ભાવનામાં કેવળજ્ઞાન :– હવે મુનિ આહાર કરતાં પહેલાં ભાવના ભાવે છે, “ઓહ, આજ મારે કે અધન્ય દિવસ કે મહાત્મા ત્યાં ને હું અહીં એક આહાર કરવા બેસું છું ! આહારને લાભ તે, સંયમધારી અને મહાને મેરુ જે ભાર વહ નાર સાધુ મહામાની ભક્તિ કરવામાં છે. એ ભક્તિ મળી હેત તે મારે ગોચરી લાવેલી લેખે લાગત! આજે આવા
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy