SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ કંઈ નહિ વળે, આ બધી શુભની પુણ્યની ક્રિયાથી ધર્મકિયાથી કાંઈ નહિ વળે” આમ બેલી કેક દંભ કર્યો ! એને કહે “અરે ભલા, તારે વ્રત ન લેવું હોય તે કંઈ નહિ, પણ પાપ કરવાનું તે છોડી દે. તને ધર્મકિયા તરીકે પચ્ચકખાણ કરી તપ કરવાનું નથી ગમતું તે કાંઈ નહિ, પણ એમને એમ પણ ખાવાની ક્રિયા તે મૂકી દે બેસી જા ખુણામાં આત્મચિંતા કરતે.” ના. ધર્મ પર ખરી પ્રીતિ નથી, પ્રવૃત્તિધર્મ પર સૂગ છે, એટલે કહી દે છે કે ‘ ઘા–ચરવળા.....થી કંઈ નહી વળે. અંતરશુદ્ધિ કરે,” અને પાપ પર પ્રતિ છે, સૂગ નથી, તેથી પાપ પ્રવૃત્તિ લહેરથી આચરે છે. એમાં કઈ પશ્ચાત્તાપ–પંખ નથી ! આત્મ ધર્મના દંભથી બચવા જીવનમાં પાપ ત્યાગ સાથે ધર્મચર્યા જોઈએ. તે સાથે પરમાર્થ–પરોપકાર પણ જોઈએ. નહિતર સ્વાર્થ સાથે ગણાય. “ક્યાં જાઓ છે ભાઈ ?” “ઉપાશ્રયે. વચ્ચે સાધર્મિક મ. આંખમાંથી પાણી નીકળે છે. કહે છે– ભાઈસાબ, ઘેર છેક રડે છે. ને રેશનનું અનાજ લાવવા પૈસા નથી.” સાંભળીને એમ જ ચાલ્યા. મનમાં થયું આપણે આત્મગુણ સમાલે, પારકી પંચાતમાં ન પડે. તે આ શું કર્યું? ગુણોને લજવ્યા કે શેભાવ્યા ? માટે જ કહે, આત્મગુણે અને ધર્મચર્યાની સાથે જીવનમાં પરમાર્થ–પપકાર ઝગમગતે જોઈએ. દિલ એવું હોય કે “હું બીજાનું કેમ કરી છૂટું? આ માટી રૂપ સાથી અને મળમૂત્ર ભરેલી કાયાથી પરમાર્થ કયાં ક્યાં સાધી લઉં?” આ ઉમળકા જોઈએ. તે હોય અને અવસરે
SR No.023311
Book TitleJalini Ane Shikhi Kumar
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Karyalay
Publication Year1976
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy