SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાના ૧૨ ભેદોનું ચિંતન કરવું તે. ચૌદ રાજલોક, તેમાં રહેલા છ દ્રવ્યો, દેવનારકી વગેરેના સ્થાનો, અસંખ્ય દ્વીપ-સમુદ્રો વગેરેનો વિચા૨ ક૨વો તે. (૧૧) બોધિદુર્લભ ભાવના – અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને ચક્રવર્તીપણું, દેવતાપણું, રાજા-મહારાજાપણું વગેરે મળવું સુલભ છે, પરંતુ સમ્યક્ત્વરૂપી રત્ન મળવું દુર્લભ છે, એમ વિચારવું તે. (૧૨) ધર્મ ભાવના ધર્મથી જ સંસારમાં સુખ મળે છે, ધર્મના પ્રભાવથી જ સૂર્ય-ચન્દ્ર વગેરે પ્રકાશે છે, ધર્મના પ્રભાવથી જ અનંત અલોકમાં પણ ચૌદ રાજલોક અદ્ધર ટકી રહ્યો છે, એમ વિચારવું તે. (૯) નિર્જરા ભાવના (૧૦) લોકસ્વભાવ ભાવના - — = ૬) પાંચ ચારિત્ર – ચારિત્ર એટલે સર્વસાવદ્ય યોગોનો ત્યાગ. તેના પાંચ - પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) સામાયિક ચારિત્ર સમ = જ્ઞાન, દર્શન, ચારિત્ર. આય = લાભ. જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો લાભ થાય તે સામાયિક. સામાયિકમાં સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ હોય છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે૧) ઇત્વરકથિક સામાયિક ચારિત્ર – અલ્પકાળ માટેનું સામાયિક તે. દા.ત. શ્રાવકનું બે ઘડીનું સામાયિક, પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓનું નાની દીક્ષાથી વડીદીક્ષા સુધીનું ચારિત્ર. - ૨) યાવત્કથિક સામાયિક ચારિત્ર – જીવનના અંત સુધીનું સામાયિક તે. બાવીશ ભગવાનના સાધુઓને અને મહાવિદેહક્ષેત્રના સાધુઓને આ ચારિત્ર હોય છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર – પૂર્વચારિત્ર પર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ જેમાં ક૨ાય છે તે. તે ત્રણ રીતે હોય૧) પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓને વડીદીક્ષાથી આ ચારિત્ર હોય છે. ૨) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ ચાર મહાવ્રતવાળુ શાસન છોડી મહાવીરપ્રભુના પાંચ મહાવ્રતવાળા શાસનને સ્વીકારે ત્યારે તેમને આ ચારિત્ર હોય છે. ૭૬ જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy