SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (d) નીલવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર મરકત મણી વગેરેની જેમ લીલું થાય તે. (e) કૃષ્ણવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર કોલસા વગેરેની જેમ કાળુ થાય તે. ૧૦) ગંધ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર તેવી તેવી ગંધવાળુ થાય તે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે(a) સુરભિગંધ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર કપૂર વગેરેની જેમ સુગંધવાળુ થાય તે. (b) દુરભિગંધ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણ વગેરેની જેમ દુર્ગધવાળુ થાય તે. ૧૧) રસ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર તેવા તેવા રસવાળુ થાય તે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે(a) તિક્તરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર લિંબડા વગેરેની જેમ કડવું થાય તે. (b) કટુરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર મરી વગેરેની જેમ તીખું થાય તે. (૯) કષાયરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર બેડા વગેરેની જેમ તુરૂ થાય તે. (1) અસ્ફરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી વગેરેની જેમ ખાટું થાય તે. (e) મધુરરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી વગેરેની જેમ મધુર થાય છે. ૧૨) સ્પર્શ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર તેવા તેવા સ્પર્શવાળુ થાય તે. તેના આઠ ભેદ છે. તે આ પ્રમાણે(a) ગુરૂસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર વજ વગેરેની જેમ ભારે થાય છે. (b) લઘુસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના રૂ વગેરેની જેમ હલકુ થાય તે. હ જ ૩૪ ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy