SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ / પડિલેહા કુટુંબ ઉપર તું નાણે માયા રે, કે કેહની માતા કેહની જાયા રે. મિત્ર નઈ સત્રુ ગિણુજે સરિખ 3, મત તું ખેાલે ભાષા મિરષા ૨. ત્રિષ્ણુ મણુિ કંચન સરખા જાણે રે સમતા ભાવ તૂ' સૂઈ આણે રે. વિનય વૈયાવચ સહુની કરજે રે દસ વિધ સમાચારી ધિરજે રે. મૃગાવતી જ્યારે ભગવાન મહાવીરની પદામાંથી મેાડાં આવે છે અને એથી એમનાં ગુરુણી ચંદનબાળા તે માટે જે ઠપક્રેા આપે છે તે પ્રસંગે પેાતાની ભૂલ માટે મૃગાવતી જે પશ્ચાત્તાપ કરે છે તથા એ પશ્ચાત્તાપના સાચા અને ઉત્કટ ભાવથી સવ પ્રત્યે જે ક્ષમાપના કરે છે અને એથી કેવળજ્ઞાન પામે છે એ પ્રસંગનુ આલેખન કરતી વખતે કવિ ધર્મતત્ત્વને વણી લે છે. આમ, આવા થાડાક પ્રસંગે સમયસુંદરે ધર્મોપદેશના તત્ત્વને ગૂ થી લીધું છે, પરંતુ રાસમાં તે એટલું સહજ રીતે વણુાઈ ગયેલુ છે કે જેથી કાંય રસક્ષતિ થતી હૈાય તેવું જણાતુ નથી, સમયસુંદરના સમયમાં ગુજરાત અને રાજસ્થાનમાં ખાલાતી લેાકભાષામાં બહુ ઝાઝા ફરક ન હતા. જૈન સાધુકવિની એક વિશિષ્ટતા એ હાય છે કે તેઓ કાઈપણ એક સ્થળે સતત લાંબા સમય સુધી રહેતા નથી હાતા. તેએ એક સ્થળેથી ખીજે સ્થળે હમેશાં વિચરતા હૈાય છે. પરિણામે, તેઓની પેાતાની ખાલવાની અને લખવાની ભાષામાં વિવિધ પ્રાદેશિક છાંટનું સ ́મિશ્રણ થતું રહે છે. તેના વિચરવાના પ્રદેશ સામાન્ય રીતે ગુજરાત અને રાજસ્થાનને વધુ હાય છે એટલે તેમની ભાષામાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાનાં લક્ષણા અવારનવાર જોવા મળે છે. સમયસુંદર રાજસ્થાનના વતની હતા અને
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy