SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ગણસ્થવિર–ગણનાયક માનવકુળ અનેક નાનાં મોટાં કુટુઓમાં વહેંચાએલું છે. આ બધાં કુટુઓમાં પરસ્પર પ્રેમસંબંધ, સ્નેહસદ્દભાવ તથા ગ્ય વ્યવસ્થા જળવાય તે માટે બધાં કુટુમ્બનું એક મધ્યસ્થ મંડળ સ્થાપવામાં આવે છે જે “ગણે અથવા “કુટુમ્બ સમૂહ” એ નામથી ઓળખાય છે. આ ગણું નું મુખ્ય કામ કુળની મર્યાદા સાચવવાનું અને કુળની યોગ્ય વ્યવસ્થા કરવાનું હોય છે. જે વ્યક્તિ આ ગણતંત્રનું બરાબર નિયંત્રણ અને સંચાલન કરે છે તે ગણસ્થવિર કે ગણનાયક તરીકે ઓળખાય છે. - પ્રાચીન સમયમાં ગણતંત્ર–પ્રજાતંત્રની પ્રણાલી બહુ પ્રચલિત હતી. ભ. મહાવીરના સમયમાં અઢાર ગણરાજ્યો હતાં અને એ ગણરાજ્ય પરસ્પર બહુ જ સલાહસંપથી રહેતાં અને ગણરાજ્યની યોગ્ય વ્યવસ્થા કરતાં. આ અઢાર ગણરાજ્યને ગણસ્થવિર ચેટક હતે. જૈનસમાં ગણનાયક ચેટકને જે કાંઈ જીવનપરિચય મળે છે તે ઉપરથી ગણવિર કેવો હોવો જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy