SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નગરસ્થવિર પ્રિય એવો નગરધર્મ તેના અંતરમાં સંભ મચાવી રહ્યો હતે. શત્રુરાજાને તેણે ખૂબ સમજાવ્યો, વિનવ્યા. આખરે રાજાએ એ માર્ગ કાઢયો કે – “હે! મહાનામન ! આટલી છૂટ આપવા તૈયાર છું. તમે પાણીમાં ડૂબકી મારે અને જેટલા નાગરિકે જેટલી સંપત્તિ લઈને નાસી છૂટવા માગે તેટલા નાગરિકે તેમ કરી શકે.” રાજાની આ કડક શરત મહાનામન એક નગરસ્થવિર તરીકે સ્વીકારે છે. મહાનામના વૃદ્ધદેહ–અશક્ત શરીરે નદીના પાણીમાં ઊતર્યો, ડુબકી મારી અને તળીએ રહેલા એક વૃક્ષના મૂળ સાથે એટલે સજજડ વળગી રહ્યો કે કલાકના કલાક સુધી તે બહાર ન આવ્યો. નગરનાં સ્ત્રીપુરુષોને એટલે વખત અભયદાન મળ્યું. તપાસ કરતાં આખરે મહાનામનનું અચેતન શરીર નદીના તળીયેથી મળી આવ્યું. પ્રાણ ઊડી ગયા હતા, માત્ર ખોખું પડી રહ્યું હતું. વૃક્ષના મૂળ સાથે તેને હાથપગ નાગપાશની જેમ વીંટળાઈ રહ્યા હતા. નગરને બચાવવા માટે મહાનામને પિતાને નશ્વર દેહ તજી દીધો હતો. જેનયુગના નગરધર્મ વિષે બીજે કઈ ઉલ્લેખ મળે યા ન મળે પણ મહાનામનનું જીવન નગરધર્મ ઉપર એક છવા ભાષ્યસ્વરૂપ છે એમ કણ નહીં કહે છે જ્યાં ગ્રામધર્મ અને નગરધર્મનું આ રીતે પાલન થતું હોય ત્યાં ગ્રામ તથા નગરની સમૃદ્ધિ અને સ્વતન્ત્રતા દેવદુર્લભ દશ્ય જેવી બને એમાં કાંઈ આશ્ચર્ય નથી. અહીં એટલું સ્મરણમાં રાખવું ઘટે છે કે આ ધર્મોને કેઈએ પારલૌકિક અર્થમાં નથી પ્રરૂપ્યા. તે લૌકિક ધર્મો હતા અને લૌકિક સુખ તથા કલ્યાણ અર્થે જ તેને ઉપયોગ થતો હતો. છતાં એટલું તે સૌએ મુક્તકંઠે સ્વીકાર્યું છે કે જ્યાં ગ્રામધર્મને, નગરધર્મને, રાષ્ટ્રધર્મને, કુળધર્મને, ગણધર્મને તથા સંધર્મને નાશ થાય છે
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy