SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધર્મ અને ધર્મનાયક વિદ્યાલય આદિ શિક્ષણ સસ્થાએ ખાલી માનસિક વિકાસ થાય અને સાથેસાથે આળસને લીધે મગજ બહેર મારી ન જાય અથવા કેવળ પેાપટિયું જ્ઞાન જ ન મળે તે માટે ઉદ્યોગ-શિક્ષણના પ્રબંધ કરી નાગરિકામાં શિક્ષણ પ્રતિ ઉત્સાહપ્રાણ પૂરવા એ પણ નગરપતિનું આવશ્યક કર્ત્તવ્ય છે. નગરજને આર્થિક અગવડને કારણે દુઃખી જીવન ગાળતા હાય તેમને અની આવક થાય તેવા શકય ઉપાયા ચેાજી કામધે ચઢાવવા અને બેકારી દૂર થાય તેવા પ્રબંધ કરવા એ પણ નગરપતિનું જ કામ છે. નગરના વ્યાપારીઓને વ્યાપારમાં જે કાઈ મુશ્કેલીઓ આવતી હાય તે જાણી તેને નિકાલ કરવા અને નગરના વ્યાપાર કેમ વધે અને નાગરિકા વિશેષ સમૃદ્ધ કેમ થાય તે વિષે ઉચિત પગલાં લેવાં એ પણ નગરપતિનું કત્તવ્ય છે. નગરજને સમાજનાં કઢંગા રીતરિવાજને કારણે સામાજિક જીવનથી કંટાળી ગયા હોય તે તેમને સમાજસુધારના માર્ગો બતાવવા અને સમાજસુધાર કરવામાં નાગરિકાને સંપૂર્ણ સહકાર આપવા એ પણ નગરપતિનું જ કર્ત્તવ્ય છે. આ સિવાય નગરજનેાની ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સમભાવપૂર્વક સક્રિય ભાગ લેવા અને નાગિરકાને સત્પંથે લઈ જવા માટે નેતૃત્વ કરવું એ નગરપતિનું કામ છે. જ્યારે નગરપતિ આ પ્રમાણે શુભ નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્ણાંક નગરહારનું કામ કરે છે ત્યારે તેના વ્યક્તિત્વના પ્રભાવ નગરજને ઉપર' પાડ્યા વગર રહેતા નથી. નગરપતિ નગરાદ્વારના કાર્ય દ્વારા નગરજનેાનું હૃદય જીતી લે છે અને નગરજના નગરપતિના આદેશને
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy