________________
-
| આ દરમ્યાન પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ મને પાલીતાણામાં મળ્યા. તેમણે મને ખરતર Tગચ્છની આ રીતરસમથી છેડાઈ કહ્યું, તું મક્કમ થા. અહીં આપણે સંસ્થા કરીશું અને ખરતરગચ્છવાળાનેT
તમાં અમદાવાદ આવ્યો. શરૂઆતમાં પ્રથમ પંડિત! ભગવાનદાસભાઈને વિદ્યાર્થી ભુવનમાં મળ્યો. ત્યારબાદ પૂ. આચાર્ય નેમિસૂરિજી મહારાજને મળ્યો. નેમિસૂરિજી મહારાજે પણ મને કહ્યું કે જે સલાહ પંડિત વીરચંદભાઈએ આપી એ બરાબર છે. ધંધે લાગી જાવ તે જ સારું છે. હું નિશ્ચિત બન્યો અને અમદાવાદમાં શેઠ માયાભાઈ સાંકળચંદની મદદથી સૌ પ્રથમ બાલાભાઈ કકલની | પાઠશાળામાં (જે મહાવીર સ્વામીના દેરાસર પાસે આવેલી તેમાં) ત્રણ કલાકના રૂ. ૨૫ ના પગાર લેખે સૌT Jપ્રથમ નોકરીએ રહ્યો. : પાલીતાણાના વસવાટ દરમ્યાન જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી લેવાતી પરીક્ષામાં મેં પ્રમાણનયતત્તાલોકાલંકારની પરીક્ષા આપી હતી.
૨૭. અમદાવાદમાં
અમદાવાદમાં શરૂઆતમાં દોશીવાડાની પોળ-મામાની પોળમાં થોડો વખત એક મકાન રાખી એકલો | રહ્યો અને ત્યારબાદ હાજા પટેલની પોળ, પાછીયાની પોળમાં સાકરચંદના મકાનમાં ઘર સાથે રહ્યા. આ! દરમ્યાન મારા નાનાભાઈનું લગ્ન થયું. તેમાં મને ખાસ મુશ્કેલી પડી નહિ. કેમકે મારી પત્નીના દાગીના
અને છાબનો બધો સામાન ભાઈના લગ્નમાં મૂક્યો હતો. જાનમાં જવા આવવાના ખર્ચ માટેની રકમ jપાલીતાણાની નોકરી દરમ્યાન બચી હતી તેથી કોઈનું દેવું કરવાની જરૂર પડી નહોતી.
પાછીયાની પોળના વસવાટ દરમિયાન મારી પાસે મહોદય સાગરજી મહારાજ, અને બ્રહ્મચર્યાશ્રમમાંથી છૂટા થયેલ મોહનલાલે થોડો વખત મહેસાણા રહી પૂ. આચાર્ય ભદ્રસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી jઅને જેમનું નામ જનકવિજયજી હતું, તે બન્ને લઘુવૃત્તિ ભણતા હતા. પૂ. ભદ્રસૂરિમહારાજ હાજા પટેલની નું પોળના પગથિયાના ઉપાશ્રયે હતા અને મહોદયસાગરજી મહારાજ જહાંપનાહ-ઝાપડાની પોળના ઉપાશ્રયે | હતા. તે દરમ્યાન ક્ષેમકરસાગરજી મહારાજની દીક્ષાનો પ્રસંગ આવ્યો. આ મહારાજ કપડવંજના વતની અનેT પૂ. સાગરજી મહારાજના કુટુંબી હતા. તે સાગરજી મહારાજના સમુદાયના બુદ્ધિસાગરજીને ઘડા વિગેરે આપવા આવ્યા હતા. તેમને મહારાજશ્રીએ ઉપદેશ આપ્યો અને તેમણે ઘેર પૂછડ્યા વિના સંમતિ લીધા વિના :
ઈ લીધી. આ વાતની ખબર તેમના કુટુંબને પડતા તેમનાં પત્ની વિગેરે રોકકળ કરતાં અમદાવાદ |આવ્યા.
સવારનો પહોર હતો. હું ઝાપડાની પોળ ત્રીજે માળે પૂ. ધર્મસાગરજી મહારાજને ભણાવતો હતો. તે વખતે ક્ષેમકરસાગરજીનાં પત્નીએ છ મહિનાની નાની બાલિકાને ધર્મસાગરજી મહારાજના ખોળામાં ફેંકી.
એકદમ તેઓ ઊભા થઈ ગયા, અને હોહા મચી ગઈ.સાગરજી મહારાજે તે દિવસે ઉપવાસ કર્યો. Iક્ષેમકરસાગરના પત્નીએ રોકકળ, છાજીયા વિગેરે ખૂબ ધમાલ કરી. આથી પોળના મુખ્ય માણસોએ નક્કી Iકર્યું કે આ દીક્ષિત થનાર ક્ષેમકરસાગરને મહારાજ તરફથી દીક્ષા માટે એક કલાક સમજાવવામાં આવે અને | એક કલાક એમના કુટુંબીઓ તરફથી પાછા ઘેર લઈ જવા માટે સમજાવવામાં આવે. આ બન્નેના પ્રયત્ન પછી
[૮]
===============================
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - -
|