SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ ભાવની પવિત્ર ભાવનાથી આત્મામાં જાગૃતિ આવે છે. દિગંબર આચાર્ય અંકલંકજી કહે છે કે - નિનિર્બયત્વ નીવિતા ગુલાસાધર્યો વ્યુત I (તત્ત્વાર્થરાજવર્તિકા ૯/૨૬/૧૦) નિસંગતા - અનાસક્તિ, નિર્ભયતા અને જીવનની લાલસાનો ત્યાગ બસ આ જ આધારે ટક્યો છે ભુતસર્ગ ! ધર્મ માટે આત્મસાધના માટે પોતે પોતાનો ત્યાગ કરવાની વિધિ જ વ્યુતસર્ગ છે. આચાર્ય ભદ્રબાહુજી કહે છે કે .. અનં રૂ શરીરં નો ગીવૃત્તિ ય વૃદ્ધિ / (આવશ્યક નિર્યુક્તિ - ૧૫૫૨) વ્યુત્સર્ગ તપની સાધના કરવાવાળામાં આવી દ્રઢતા હોય છે કે આ શરીર અન્ય છે અને મારો આત્મા અન્ય છે. શરીરને છોડવાનું છે. નાશવન્ત છે. આત્માને અપનાવાનો છે. તે શાશ્વત છે. લાંબા સમયનો સાથી છે. બસ આ જ ધારણાથી આગળ વધતો સાધક જે પર છે. તેની મમતાથી દૂર હટે છે અને આત્મા જે “સ્વ” છે તેની નજીક આવે છે. આત્મા માટે થઈને બધું જ ત્યાગ કરી દેવા માટે તત્પર બને છે. વ્યસર્ગનું સ્વરૂપ વ્યુત્સર્ગનું વર્ણન અનેક સૂત્રોમાં મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ખૂબ જ સંક્ષેપમાં બતાવ્યું છે કે - सयणासणठाणे वा जेउ भिक्खु वायरे । યસ્ય વિડસો છો તો પરિક્ષિત્તિનો (ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦/૩૬) જે ભિક્ષુ સુવું, બેસવું, ઉઠવું આદિ સમસ્ત કાયિક ક્રિયાઓનો ત્યાગ કરી શરીરને સ્થિર કરી તેની મમતાનો, તેની સાર સંભાળનો ત્યાગ કરી દે છે તે કાયોત્સર્ગ તપ છે. विउस्सग्गे दुविहे पण्णते तं जहा - । બૈવિકસ્સો ય બાવકસ્સો ય | (ભગવતી સૂત્ર ૨૫-૭) ત્સર્ગ બે પ્રકારના છે. દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગ, દ્રવ્ય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે. (૧) ગણ વ્યુત્સર્ગ (૨) શરીર વ્યુત્સર્ગ (૩) ઉપધિ વ્યુત્સર્ગ (૪) ભક્તપાન વ્યત્સર્ગ (૧) ગણ વ્યુત્સર્ગઃ છે. ગણનું નામ છે “સમૂહ પ્રાચીન સમયમાં ગણનું ઘણું મહત્ત્વ હતું. માણસોના વિવિધ પ્રકારના સમૂહ, દળ અથવા કુટુંબ હતા. જેને ગણ કહેવામાં આવે છે. અહીં ગણથી એક અથવા વધારે ગુરુઓના -૧૯)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy