________________
આ લેખનને વ્યવસ્થિત પુસ્તકાકારે કરવામાં શ્રી પરાગભાઈ શાહનો સહકાર મળ્યો છે. આર્થિક સહયોગ રાત્રીના સ્વાધ્યાયના પરિવારે કર્યો છે. કેટલાક ઉતારાનું કાર્ય સુલક્ષણાબહેને કર્યું છે. અને કુમુદબહેન પાલખીવાળા જેઓ શિક્ષણક્ષેત્રે અનુભવી છે તેમણે પ્રથમ પૂરું લેખન વાંચી, પ્રુફ રીડીંગ પણ પૂરું કરવામાં સહાયક રહ્યા છે. તેમણે મારો ઘણો શ્રમ બચાવ્યો છે તે સૌને શુભેચ્છા પાઠવું છું, આભાર માનું છું..
કેટલાક પ્રસંગો હાલ આપણા પરિચયમાં છે. તેમને માટે કંઈ વધતુ ઓછું લખાયું હોય તો ક્ષમા કરે.
સવિશેષ પૂ. ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજ્યસૂરિજીએ જે અત્યંત પ્રેરણાત્મક શુભાશિષ આવી છે તે બદલ આપણે સૌ તેમના ઋણી છીએ. જીવનમાં તેમના આલેખેલા ભાવોને ધારણ કરીએ તો જીવન સાર્થક થાય તેવા અતંરના આશિષને આપણે પાત્ર થઈએ તે અભ્યર્થના.
પ્રેસ મેટર અને પુસ્તક તૈયાર કરવામાં સ્નેહરશ્મિભાઈ કટારીઆનો સહકાર મળ્યો છે.
સર્વથા સૌ સુખી થાઓ.
૪
- સુનંદાબહેન વોહોરા
ચરણેષુ છે આધ્યાત્મિક પ્રેરકદાતા
પૂ. શ્રી આચાર્ય યશોવિજ્યસૂરિજી - સુનંદાબહેન વોહોરા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો