SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 76 છે ભક્તામર તુલ્ય નમઃ | આચાર્ય પૂજ્યપાદે સંસ્કૃતમાં રચેલી યોગી-ભક્તિમાં, યોગીઓ દ્વારા કરવામાં આવેલાં વિવિધ તપોનું વિશદ વર્ણન કર્યું છે. યોગીની સ્તુતિ કરતાં તેઓ જણાવે છે કે, “ત્રણ યોગ ધારણ કરવાવાળા, બાહ્ય અને અત્યંતર તપથી સુશોભિત, પ્રબુદ્ધ પુણ્યવાળા, મોક્ષરૂપી સુખની ઇચ્છા કરવાવાળા મુનિરાજ, મને સ્તુતિકર્તાને સર્વોત્તમ શુક્લધ્યાન પ્રદાન કરો." આચાર્ય સમન્તભદ્ર મહાન યોગી મુનિસુવ્રતનાથની વંદના કરતાં કહે છે કે, “આપે અનુપમ યોગબલથી આઠેય પાપ-મલરૂપ કલંકને ભસ્મીભૂત કરતાં, સંસારમાં ન મળતાં સુખોને પ્રાપ્ત કર્યા છે. આપ મારી સંસાર-શાંતિને પણ નિમિત્તભૂત થાવ." તીર્થકર ભગવાનના ગણધરોને યોગી' શબ્દથી નવાજવામાં આવ્યાં છે. આચાર્ય જિનસેનસૂરિએ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીને યોગીન્દ્ર અને મહાયોગી' કહ્યા છે. એમની વંદના કરતાં શ્રી જિનસેનસૂરિ કહે છે કે “હે દેવ ! આપ મહાયોગી છો, તેથી આપને નમસ્કાર હો, આપ મહા બુદ્ધિમાન છો, તેથી આપને નમસ્કાર હો; આપ જગતના રક્ષક અને મોટી મોટી ઋદ્ધિઓના ધારક છો, તેથી આપને નમસ્કાર હો.” શાસ્ત્રકારોએ યોગીઓને નમસ્કાર કર્યા છે અને મહિમાનું ગાન કર્યું છે. નમસ્કાર કરીને તેમના જેવા ગુણો અને તેમને મળતાં સુખોની યાચના પણ ભક્ત કવિઓએ કરી છે. આ યોગીઓમાં | તીર્થકરને અને ગણધરોને તથા શ્રુતકેવલીઓને પણ યોગી કહેવામાં આવ્યાં છે. ૫. આચાર્ય ભક્તિ આચાર્ય શબ્દ ‘ાર ધાતુથી બન્યો છે. ‘ચર'નો અર્થ થાય છે ચાલવું અથવા આચરણ કરવું, વામન જયદિત્ય જણાવે છે કે, “રેરાડિ વાપુરી આના પરથી બતાતે માવા વ્યુત્પત્તિ નિષ્પન્ન થાય છે. એનો અર્થ છે કે – “આચાર્ય તે છે, જેના ઉત્તમ ચારિત્રનું અન્ય જન અનુકરણ કરવા લાગે.” જેન આચાર્યના ૩૬ ગુણોમાં મહાવ્રતોનું ઉત્તમ સ્થાન છે અને તેમનો મુખ્ય ગુણ મંત્રોની વ્યાખ્યા કરવાનો જ છે. સર્વજ્ઞ જિનેશ્વરદેવની વાણી મંત્ર કહેવાય છે. તેની વ્યાખ્યા કરવાનો અધિકાર માત્ર આચાર્યોને જ હોય છે. શ્રી અમરસિંહના અમરકોશમાં આચાર્યની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, “મન્નબારણાદાવા મારેષ્ટા –મ્બરે વ્રતી " અર્થાત્ આચાર્ય તે છે જે મંત્રની વ્યાખ્યા કરવાવાળા, યજ્ઞમાં યજમાનને આજ્ઞા દેવાવાળા અને વ્રતોને ધારણ કરવાવાળા હોય.” તાત્પર્ય કે, આચાર્ય તે છે જેના ઉત્તમ ચારિત્રનું અન્ય જીવો અનુકરણ કરે. સર્વજ્ઞની વાણી મંત્ર સમાન હોય છે તેની વ્યાખ્યા કરવાવાળા તથા મહાવ્રતોને ધારણ કરવાવાળા હોય છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy