SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તેવું કરવાની યાચના સ્તોત્રમાં કરવામાં આવે છે. સ્તોત્રપાઠની ફળસિદ્ધિ : સ્તવન-સ્તોત્ર એ મહામહિમાશાળી ઉપકરણ છે અને તેનો યથાયોગ્ય ઉપયોગ લેવામાં આવે તો મનુષ્ય ઉન્નતિના શિખરે પહોંચી શકે છે. જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 47 = ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનના ૧૪મા શ્લોકમાં કહ્યું છે કે, “થય – શુÍ માનેળ મતે । નીવે િનળયડુ ? (પત્તર) નાળવસન - ચારિત - લોહિતામં સંખરૂં, નાળ - હંસળ चारित्त बोहिलाभं संपन्ने णं जीवे अंतकिरियं कप्प विभाणोववत्तियं आराहणं आराहेई ||૪||'' - - - હે ભગવન્ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ કયા લાભને ઉત્પન્ન કરે છે ? ઉત્તરમાં ભગવાન જણાવે છે : “હે શિષ્ય ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ શાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે અને જ્ઞાનબોધિ, દર્શનબોધિ તથા ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવાપૂર્વક મોક્ષમાં જાય છે.” અર્થાત્ સ્તવ-સ્તુતિરૂપ મંગલથી જીવને દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ બોધિલાભથી પ્રાપ્તિ થાય છે. આનાથી જીવને મુક્તિની (કર્મનો સર્વથા નાશ કરનારી) આરાધનાની પ્રાપ્તિ થાય છે. અથવા વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થવાનો આરાધનાથી લાભ થાય છે. અહીં એ સ્પષ્ટ થયું છે તે સ્તુતિ-સ્તોત્રાદિ દ્વારા જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે અને તેનાથી તે જ ભવમાં મુક્તિ ન થાય એટલે કે મોક્ષની પ્રાપ્તિ ન થાય તો અવશ્ય વૈમાનિક દેવલોકની પ્રાપ્તિ થાય છે. = સ્તોત્રની વિશેષ મહત્તા માનતાં કહેવામાં આવ્યું છે કે આરાધ્ય દેવની ઔપચારિક પૂજાથી પણ અધિક પ્રભાવક સ્તોત્રપાઠને માનવામાં આવ્યો છે – પૂનાòોટિ મુળ સ્તોત્રં કહ્યું છે. એટલે કે પૂજા કરતાં કોટિ સમાન સ્તોત્રપાઠનું ફળ શાસ્ત્રમાં બતાવેલ છે. શ્રી જિનેશ્વરદેવની સ્તવનામાં ભક્તિથી ભાવવિભોર બનતો ભક્ત તીર્થંકર નામગોત્રનો બંધ પણ કરે છે. તેવાં ઘણાં ઉદાહરણો મળી આવે છે જેમાં રાવણનું દૃષ્ટાંત આપણે ત્યાં પ્રચલિત છે. સ્તોત્રરચના અને સ્તોત્રપાઠમાં મન-વચન-કાયાની એકાગ્રતાને સ્વયં સિદ્ધ માનવામાં આવે છે. પ્રભુભક્તિમાં લીન બનતા દેવો પણ મનુષ્યગતિ આદિ મનુષ્યને લગતી ઉત્કૃષ્ટ પ્રભુભક્તિના રસવાળી પુણ્ય પ્રકૃતિનો બંધ બાંધે છે. અર્થાત્ મનુષ્યજન્મમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે દેવો પણ પ્રભુભક્તિમાં એકચિત્ત બની મનુષ્યયોનિમાં જન્મ લેવાનો બંધ બાંધે છે. તેમના માટે સ્તોત્ર દ્વારા પ્રભુની ભક્તિ કરવા થકી મેળવેલ ફળસિદ્ધિ છે. પ્રભુનાં દર્શન કરતાં આત્મા જેમ જેમ આનંદ પામે છે તેમ તેમ આત્મા પર લાગેલાં કર્મનાં આવરણો નષ્ટ થતાં જાય છે. તેવી જ રીતે ભક્તિભાવપૂર્વક સ્તોત્રનું પઠન કરતાં પણ કર્મની
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy