SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથનો ઉપક્રમ પ્રત્યક્ષ અર્થની સાથોસાથ એની અંદર રહેલી અનુભૂતિ દર્શાવવાનો છે. અહીં પ્રભુની સ્તુતિ અને ભક્તના હૃદયના ઊર્ગારોહણનું આલેખન ( CCCR - 09 ) છે. ' ગ્રંથના પ્રારંભે જૈન સ્તોત્રસાહિત્યનો અભ્યાસ (ઇતિહાસ) આપેલો છે, જેથી આ સ્તોત્ર વિશેની ભૂમિકા વાચકના મન:પ્રદેશ, ઉપર ઊપસી આવે. એના રચયિતા શ્રી માનતુંગસૂરિના જીવનચરિત્રની સાથે સાથે આ મહાન સ્તોત્રની સર્જનકથા પણ વણી. લીધી છે. જેમની સ્તુતિ માટે આ સ્તોત્ર રચાય છે તે શ્રી આદિનાથ પ્રભુનું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. આ ગ્રંથમાં વાચ્યાર્થ અને ગૂઢાર્થ દર્શાવ્યો છે. સર્વગ્રાહી ગ્રંથ લખવાનો આશય હોવાથી તેની પધસંખ્યા, પ્રભાવક કથાઓ, મહાભ્ય, વૃત્તિ, પાદપૂર્તિઓ એ બધાંનો સમાવેશ કર્યો છે અને એ જ રીતે એમાં રહેલાં મંત્ર, યંત્ર, તંત્ર અને અષ્ટકો વિશે પણ માહિતી છે. સાહિત્યરસિકો, અધ્યાત્મપ્રેમીઓ અને મુમુક્ષુઓનાં હૃદયમાં અને કંઠમાં આ સ્તોત્ર વસે છે અને તેથી વસંતતિલકા છંદમાં રચાયેલા આ સ્તોત્રના પ્રત્યેક શબ્દમાં નીતરતું કાવ્યત્વ અને એના અર્થમાંથી થતો મુક્તિપંથનો રમણીય. ઉઘાડ દર્શાવ્યો છે. तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ! तुभ्यं नमः क्षितितलामलभूषणाय / तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय ! तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय //
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy