________________
484 . || ભક્તામર તુષં નમઃ || વિષાપહારિણી વિદ્યાનો છે અને સાથે વિધિ પણ આપેલ છે. જ્યારે બીજો મંત્ર ત્રિભુવન સ્વામિની વિદ્યાનો છે અને સાથે વિધિ પણ આપેલ છે.
પ્રથમ મંત્ર : . ॐ हीं आसीविसलद्धीणं ॐ हीं खीरासवलद्धीणं ॐ हीं महुयासवलद्धीणं ॐ ह्रीं अमिआसक्लद्धीणं नमः स्वाहा ।।
- વિષાપહારિણી વિદ્યા | વિધિ : જ્યારે કોઈ પણ માણસને ઝેર ચડ્યું હોય ત્યારે આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રી પાવાથી ઝેર ઊતરી જાય છે. | (૯) બીજો મંત્ર :
ॐ ह्रीं श्रीं क्लीं असिआउसा चुलु चुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु સ્વાહા ||
- ત્રિભુવનસ્વામિની વિદ્યા | વિધિઃ પ્રભાત સમયે ઊઠીને સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી મૂંગાની (પ્રવાલની) જપમાલાથી નિત્ય ૩,૦૦૦ (ત્રણ હજાર) જાપ કરીએ તો મનોવાંછિત સિદ્ધ થાય.
(૧૦) કથા ૮ અને શ્લોક ૧૫માં પણ ગુણાકરસૂરિએ બે મંત્રા—ાય અને વિધિ આપ્યા છે જે આ પ્રમાણે છે :
પ્રથમ મંત્ર :
चउवीस तीर्थंकरतणी आण, पञ्चपरमेष्टीतणी आण, चउवीस तीर्थंकरतणइ तेजि पञ्चपरमेष्टीतणइ तेजि ॐ ह्रीं अर्हे उत्पत्तये स्वाहा ।।
વિધિ : પુષ્પાર્કનો યોગ આવે થકે સંધ્યાના સમયે સ્નાન કરી, સુગંધી તેલ, ચૂવા, ચંદન વગેરેનું શરીરે વિલેપન કરી, પવિત્ર ગાત્ર કરી, સુગંધીદાર ફૂલની માળા પહેરી, જ્યાં સ્ત્રીનો સંઘટ્ટોસંસર્ગ થાય નહિ એવા એકાંત સ્થાનમાં આવી પવિત્ર લીંપણ લીંપાવી તેના ઉપર ઊભા રહી પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી સ્ફટિકની માલાથી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી દક્ષિણ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણી પછી પશ્ચિમ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણવો. આ પ્રમાણે વિધિ સંપૂર્ણ કરી જે કાર્ય હોય તે મનમાં ચિંતવીને સંથારે અડધી રાત્રે વીતી ગયા પછી સૂઈ રહેવું. પાછલી રાત્રિની ઘડી બે બાકી રહે ત્યારે સ્વપ્ન દેખે, સ્વપ્નમાં જે કાર્ય ચિંતવ્યું હોય તેનું શુભાશુભ ફળ દેખીને જાગી જવું. સ્વપ્ન આવ્યા પછી સૂઈ રહેવું નહિ.
(૧૧) બીજો મંત્ર આ પ્રમાણે છે :
ॐ ह्रीं पूर्व जिणाणं ओहिजिणाणं परमोहिजिणाणं अणंतोहिजिणाणं सामन्नकेवलीणं भवत्थकेवलीणं अभवत्थकेवलीणं नमः स्वाहा ।।
- ઘોક્ષિનો વિદ્યા |