________________
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો ફ્ર 483
ॐ ह्रीं क्लीं श्रीचक्रेश्वरी मम रक्षां कुरु स्वाहा ||
(દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ ૭૯ ગ્રંથાંકમાં ‘ખૂં’ પાઠ છે. પરંતુ શ્રી સારાભાઈ નવાબને અહીંયાં વી પાઠ જ વાસ્તવિક લાગે છે.
વિધિ : દિવાળીની રાત્રિએ આ મંત્ર યક્ષકર્દમથી લખવો (કપૂર, કસ્તૂરી, કેસર, ગોરુચંદન, સંગરફ (અગર?) આ પાંચ વસ્તુઓને યક્ષકર્દમ કહે છે), આ મંત્ર રૂપાની કલમથી યક્ષકર્દમ વડે પાતળા સારા ભોજપત્ર અથવા કાગળ ઉપર લખી રૂપાના માદળિયામાં મઢાવી પાસે રાખવાથી જ્યાં જઈએ ત્યાં ફત્તેહ પમાય, જય થાય, ભૂતપ્રેતનો ભય હોય નહિ, તાવ વગેરેનો નાશ થાય.'' (૫) કથા પાંચમી અને શ્લોક ૧૦–૧૧માં ગુણાકરસૂરિજીએ આપેલો મંત્રામ્નાય અને વિધિ આ પ્રમાણે છે :
ॐ ह्री अरिहंताणं सिद्धांणं सूरीणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु
સ્વાહા ||
(દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ ૭૯ ગ્રંથાંકમાં લ્ ાઁ પાઠ છે) અને ૨ - અહંતાનું પાઠ છે જેનો સારાભાઈ નવાબે અનુક્રમે સુધારો કર્યો છે.)
વિધિ : સવારમાં ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ પચરંગી ધોતી પહેરીને મૂંગાની માલાથી જાપ કરવો. અગર ઉખેવવો, ૩,૨૦૦ (બત્રીશસો) જાપ કરવાથી મનોકામના સિદ્ધ થાય છે.
(૬) કથા છ અને શ્લોક ૧૨માં ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં આ પ્રમાણે મંત્રામ્નાય અને વિધિ આપેલ છે :
ॐ ह्रीं चउद्दसपुवीणं ॐ ह्रीं पयाणुसारीणं ॐ ह्रीं एगारसंगधारीणं ॐ ह्रीं उज्जुमईणं ॐ ह्रीं વિપત્નમર્રનું નમ: સ્વાહા || આ સરસ્વતી વિદ્યા છે.
વિધિ : સવારમાં ઊઠીને, સ્નાન કરીને સફેદ રેશમી ધોયેલું – સ્વચ્છ વસ્ત્ર પહેરીને પવિત્ર અંગે સ્ફટિકની માલાથી દરરોજ ૧૦૮ જાપ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યા ચઢે છે.
(૭) ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં શ્લોક ૧૩નો મંત્રામ્નાય જે રોગાપહારિણી વિદ્યા માટે છે અને તેની વિધિ નીચે પ્રમાણે આપેલ છે :
ॐ ह्रीं पूर्वे आमोसहिलद्वीणं विप्पोसहिलद्वीणं खेलोसहिलद्वीणं जल्लोसहिलद्वीणं સવોસહિલદ્વીનું નમઃ સ્વાહીં || રોગાપહારિણી વિદ્યા અથવા
ॐ ह्रीं श्रीं क्लीं इयं रोगापहारिणी विद्या ।।
વિધિ : આ મંત્રથી સર્વ રોગ જાય. સવારે, મધ્યાહ્ને અને સાંજે (ત્રિકાળે) ૧૦૮ વખત સ્મરણ કરવાથી સર્વ રોગ મટે.
(૮) કથા ૭ અને શ્લોક ૧૩-૧૪ માટે ગુણાકરસૂરિએ બે મંત્રો આપ્યા છે. પ્રથમ મંત્ર