________________
462
* ॥ ભક્તામર તુલ્યું નમઃ ।
(૧) શત્રુનો પરાભવ થાય છે. આરાધકને કોઈ ક્ષતિ પહોંચતી નથી.
(૨) શત્રુનો ભય દૂર થાય છે.
શ્લોક-૨૮ : પ્રભાવ :
(૧) બધા મનોરથ સિદ્ધ થાય છે. સૌભાગ્ય, કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
(૨) વ્યાપારમાં લાભ થાય, ઝઘડા-ટંટા દૂર થાય. સ્ત્રીસોભાગ્ય પ્રાપ્ત થાય. દરેક પ્રકારે સુખ
થાય.
શ્લોક–૨૯ : પ્રભાવ :
(૧) નેત્રપીડા દૂર થાય, કોઈ પણ સ્થાવર વિષ લાગતું નથી.
(૨) સર્વ પ્રકારનાં ઝેરો નાશ પામે.
શ્લોક-૩૦ : પ્રભાવ ઃ
(૧) શત્રુનો પરાભવ થાય છે અને યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થાય છે.
(૨) ચોર, મૂઠ વગેરે અસર ન થાય તેમજ સિંહ, વાઘ વગેરેનો ભય ન થાય.
શ્લોક–૩૧ : પ્રભાવ :
(૧) રાજ્ય માન્યતા મળે છે.
(૨) રાજદરબારમાં સન્માન પામે.
શ્લોક-૩૨ : પ્રભાવ :
(૧) સંપત્તિનો લાભ થાય છે.
(૨) રાજદરબારમાં જય થાય અને વિવિધ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
શ્લોક-૩૩ : પ્રભાવ :
(૧) દુર્જન વશીભૂત થાય છે અને એનું મોઢું બંધ થઈ જાય છે.
(૨) દુર્જનની બીક ટળે. તેનો કોઈ ઉપદ્રવ કામ ન આવે.
શ્લોક–૩૪ : પ્રભાવ :
(૧) હાથીનો મદ ઊતરે અને સમૃદ્ધિ વધે છે.
(૨) દ્રવ્યનો સંચય થાય તેમજ હાથીને વશ કરી શકાય. શ્લોક–૩૫ : પ્રભાવ :