SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પ્રભાવિક સ્તોત્ર - 453 મેવાડી ભાષામાં શ્રી પંડિત ગિરધારીલાલ શાસ્ત્રીએ ઈ. સ. ૧૯૮૧માં ભક્તામર સ્તોત્રના પદ્યાનુવાદ કરેલ છે. રાજસ્થાની ભાષામાં ખરતરગચ્છીય જ્ઞાનમેરુજીએ અને શ્રી વિપીન જાલોરીએ, અવધીમાં શ્રી ઓમપ્રકાશ કશ્યપે. બાંગ્લાભાષામાં ગણેશ લલવાનીએ ઈ. સ. ૧૯૮૨માં, કન્નડ ભાષામાં શ્રી કે. એલ. ધરણેન્દ્રએ ઈ. સ. ૧૯૪૦માં, તામિલ ભાષામાં શ્રી જંબુકુમાર જૈને ઈ. સ. ૧૯૯૧માં, ઉર્દૂ ભાષામાં શ્રી લાલા દિગમ્બર પ્રસાદે ઈ. સ. ૧૯૬૯માં, ફારસી ભાષામાં શ્રી ભોલાનાથ દરજ્ઞાએ ઈ. સ. ૧૯૨૫માં અને અંગ્રેજી ભાષામાં શ્રી ભગવાનદાસ જેને ૧૯૫૭માં ભક્તામર સ્તોત્રનો પદ્યાનુવાદ કરેલ છે. બીજા અન્ય પણ પદ્યાનુવાદો હશે, જેની ગણના કદાચ માહિતી ન મળવાને કારણે રહી ગઈ હશે. પરંતુ આટલી મોટી સંખ્યામાં કોઈ પણ સ્તોત્રના અનુવાદો થયા હોવાનો ઉલ્લેખ નથી. ઉપર્યુક્ત ભાષાઓ અતિરિક્ત હર્મન યાકોબીએ જર્મન ભાષામાં પણ આનો પદ્યાનુવાદ કર્યાનો ઉલ્લેખ પ્રો. હીરાલાલ કાપડિયા સંપાદિત, ભક્તામર-કલ્યાણંદિર-નમઊણ સ્તોત્રત્રયમ્ ગ્રંથમાં મળી આવે છે. ભક્તામર સ્તોત્ર વિશે પ્રશસ્તિકાવ્યો ભક્તામર સ્તોત્રના મહિમા ઉપર અને શ્રી માનતુંગસૂરિ પર પણ પ્રશસ્તિકાવ્યો રચાયાં છે. શ્રી પંડિત હીરાલાલ કૌશલ’ એ ભક્તામર–મહિમા' નામનું પ્રશસ્તિકાવ્ય રચ્યું છે જે આ પ્રમાણે છે : શ્રી ભક્તામર કા પાઠ કરો નિત પ્રાત, ભક્તિ મન લાઈ | સબ સંકટ જાયે નશાઈ ! જો જ્ઞાન-માન મતવારે થે. મુનિ માનતુંગ સે હરે થે ! ઉન ચતુરાઈ સે નૃપતિ લિયા બહકાઈ સબ સંકટ જાયે. | મુનિશ્રી કો નૃપતિ બુલાયા થા. સૈનિક જા હુકમ સુનાયા થા | મુનિ વીતરાગ કો આજ્ઞા નહીં સુનાઈ કે સબ સંકટ જાયે. // ઉપસર્ગ ઘોર તબ આયા થા, બલપૂર્વક પકડ મગાયા થા | હથકડી બેડિયોં સે તન દિયા બંધાઈ / સબ સંકટ જાય. / મુનિ કારાગૃહ ભિજવાયે થે. અડતાલીસ તાલે લગાયે થે / ક્રોધિત નૃપ બાહર૫ હરા દિયા બિઠાઈ || સબ સંકટ જાયે. II મુનિ શાન્ત ભાવ અપનાયા થા, શ્રી આદિનાથ કો ધ્વાયા થા !
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy