________________
442 ૨ // ભક્તામર તુલ્યુ નમઃ || સ્તોત્રની શ્રતસણરી ટીકામાં તથા વૃત્તરનાકરની એક જેન ટીકામાં તેનાં ભિન્ન ભિન્ન પડ્યો ઉદ્ધરાયેલાં છે, સંભવ છે કે આ રીતે અન્ય કૃતિઓમાં પણ તેનાં અવતરણો લેવાયાં હોય. બૃહજ્યોતિષાર્ણવ નામના જૈનેતર ગ્રંથમાં આ સ્તોત્રનો ઉલ્લેખ થયેલો છે. તે એમ દર્શાવે છે કે આ સ્તોત્રનો કીર્તિકલાપ જેન સંઘની સીમાઓ ભેદીને બહાર પણ વિસ્તાર પામ્યો હતો.
આચાર્ય માનતુંગસૂરિના આ સ્તોત્રથી અનેક ભક્ત જીવાત્માઓના અધ્યાત્મમાર્ગ મોકળા થયા છે. તેનો એક એક શબ્દ, વાક્ય અને શ્લોક મનના તાપને દૂર કરે છે. તેનો પ્રત્યેક પદવિન્યાસ ગૂઢમંત્ર રહસ્યથી સભર છે. તમામ શ્લોક ભિન્ન ભિન્ન મનોરથનો પૂર્ણ કરે છે. જૈન ધર્મમાં, ખાસ કરીને મૂર્તિપૂજક સંપ્રદાયમાં અનેક સ્તોત્ર છે, પરંતુ શ્રી ભક્તામર સ્તોત્રની સમકક્ષ કોઈ સ્તોત્રને મૂકી શકાય તેમ નથી.
સ્તોત્ર પ્રભાવિક અને ચમત્કૃત તો છે જ, પણ સાથે સાથે જે કોઈ જીવાત્મા તેનું પાઠનપઠન કરે છે તેને આધ્યાત્મિક માર્ગની સોપાનશ્રેણીઓ સર કરવાની મોકળાશ મળે છે.
ભક્તિના ખજાનારૂપ અદ્ભુત શબ્દસૌષ્ઠવપૂર્ણ આ સ્તોત્રના એક એક અક્ષરમાં હિલોળા લેતા ભક્તિસુધાના સાગરમાં ઉગાતા જ નહીં, શ્રોતાઓના પણ ત્રિવિધ તાપનું શમન કરે છે અને તેને અનિર્વચનીય આનંદ પ્રદાન કરે છે. મનના તારને પ્રભુ સાથે જોડવાની આ સ્તોત્રમાં અદ્ભુત ક્ષમતા છે. આ સ્તોત્રના માધ્યમથી મનના તાર અનંત શક્તિશાળી, અક્ષય, અવ્યાબાધ, અંત સુખના ધામ જિનેશ્વર પ્રભુની સાથે જોડી દેતાં મનમંદિર દિવ્ય જ્યોતથી ઝગમગી ઊઠે છે. સાધક જો નિમેષ માત્ર પણ પોતાના મનના તાર પ્રભુ સાથે જોડી રાખે તો અવશ્યમેવ સ્વયં પણ પ્રભુમય બની જાય છે.
ખરેખર ભક્તામર સ્તોત્ર' ઘણું જ પ્રભાવક અને ચમત્કારપૂર્ણ છે. આજે જૈન જગતમાં જેટલાં સ્તોત્ર પ્રચલિત છે તેમાં સર્વાધિક લોકપ્રિય આ સ્તોત્ર છે.
ભક્તામરની ભક્તિ કરવાથી જીવ શિવ બને છે, નર નારાયણ થાય છે અને ભક્ત ભગવાન પણ બની શકે છે. તેથી વધારે ભક્તામર ભક્તિનું બીજું શું વધારે મૂલ્ય હોઈ શકે ? ખરેખર ભક્તામર સ્તોત્ર ભક્તિનો અમૂલ્ય ખજાનો છે.
સ્તોત્રકારે પોતાના ઇષ્ટદેવમાં કર્તુત્વનો તો કદાચિત્ આરોપ કર્યો છે. કિન્તુ ક્યાંય પણ કોઈ યાચના ભાવ નથી, તેના દ્વારા કંઈ કરવા કે કરાવવાની તરફ પણ ઇશારો નથી કર્યો. માત્ર પ્રભુનાં ગુણગાન જ કર્યો. જિનેન્દ્ર ભગવાનનાં રૂપ-સૌંદર્યનું, એમના અતિશયો અને પ્રતિહાર્યોનું તથા નામસ્મરણના માહાસ્યથી સ્વયં નિવારિત ભયો, ઉપદ્રવો વગેરેનું વર્ણન કર્યું છે. અનાવશ્યક પાંડિત્ય પ્રદર્શનથી સ્તોત્રને ભારરૂપ નથી બનાવ્યું કે ન તેમાં તાર્કિકતા, દાર્શનિકતા, વૈરાગ્ય કે આધ્યાત્મિકતાની જ રટ લગાવી. દિગમ્બારાચાર્ય પ્રભાચન્દ્ર (૧૧મી સદી) આ સ્તોત્રને મહાવ્યાધિનાશક' જણાવ્યું તો શ્વેતામ્બરાચાર્ય પ્રભાચંદ્રસૂરિ(૧૩મી સદી)એ આને સર્વઉપદ્રવહર્તા જણાવ્યું છે. વસ્તુતઃ આ સ્તોત્ર માન્ટિક શક્તિના અદ્ભુત રૂપથી સંપન્ન છે. આના પ્રત્યેક પદ્યની