SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ 406 * || ભક્તામર તુલ્ય નમઃ | વગેરે અલંકારોનો સહયોગ પ્રાપ્ત કરીને સ્તોત્રના લગભગ વીસ જેટલાં પધોમાં આવતા ઉપમા અલંકારને વ્યક્ત કર્યો છે. ઉપર્યુક્ત અલંકારોમાંથી ઉપમાને વ્યક્ત કરવા માટે અર્થાન્તરવાસનો પ્રયોગ સૂરિજીએ સૌથી વધારે પ્રમાણમાં કર્યો છે. મહાન કવિ કાલિદાસે પોતાની રચનાઓમાં સૌથી વધારે આ અલંકાર પ્રયોજ્યો છે. તેથી એમ કહી શકાય કે કાલિદાસની જેમ જ આ અલંકાર શ્રી માનતુંગસૂરિને પણ અધિક પ્રિય હતો. વિવિધ પ્રકારનાં ઉદાહરણો દ્વારા પોતાના કથનને સચોટ પુરવાર કરવાની આવડત તેમની તાર્કિક બુદ્ધિમત્તાને દર્શાવે છે તેની સાથે સાથે જ પોતાની લઘુતા દ્વારા વિનમ્રતાને બતાવી આત્મપ્રેરણાપૂર્વક કરેલી સ્તવનામાં તેમની શ્રી આદિનાથ ભગવાન પ્રત્યેની કોઈ પણ પ્રકારના યાચનાભાવ વગરની અહેતુકી ભક્તિ જ સાબિત કરે છે. પ્રભુના ગુણોનું વર્ણન કરવા માટે ભાવોને મૂર્ત રૂપ આપવાથી તથા શબ્દોને કલાત્મક રીતે ગૂંથવાથી આ અલંકારોની સશક્ત રીતની અભિવ્યક્તિ જ સૂરિજીને કાવ્યકારોમાં કવિ-શિરોમણિ તરીકે સ્થાપિત કરે છે. શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રમાં પ્રયોજેલી ઉપમાઓ અનેક પ્રકારની છે. અહીં આપવામાં આવેલી ઉપમાઓમાં સૌથી વધારે ઉપમાઓ પ્રકૃતિને આશ્રિત છે. સૂર્ય, ચંદ્ર, પ્રકાશ-અંધકાર, સમુદ્ર, પર્વત, વસંતઋતુ, કમળપત્ર, મેરુ-પર્વત, વાયુ, પશુ-પક્ષી, વૃક્ષ, દીપક, વાદળ, રાહુ, મણિ-કાચ, ઇન્દ્ર જેવા દેવોને તેમણે ઉપમા તરીકે સમાવિષ્ટ કર્યા છે. શ્રી રુદ્રદેવ ત્રિપાઠીએ આ દરેકને ૭ વિભાગોમાં વિભાજિત કર્યા છે : (૧) આકાશી તત્ત્વો (૨) દેવગણ - સ્વર્ગ્યુ તત્ત્વો (૩) આકાશ અને પૃથ્વીની મધ્યમાં રહેલાં તત્ત્વો (૪) પાર્થિવ તત્ત્વો (૫) પ્રાકૃતિક સંપદા () પ્રાણીજગત (૭) સામાજિક, ધાર્મિક અને વ્યવહારિક ઉપમાનો. (૧) આકાશી તત્ત્વો ઃ સ્તોત્રકાર મહર્ષિએ સૌથી વધારે ઉપમાનો આ તત્ત્વથી લીધેલાં છે, તેમાં સૂર્ય અને ચંદ્ર પ્રમુખ છે. પ્રાયઃ ૧૩-૧૪ પઘોમાં સૂર્ય-ચંદ્રની ઉપમાઓ છે. ચંદ્ર તેમની દૃષ્ટિમાં અગ્રાહ્ય છે (૩), કાંત છે (૪-૩૧), અતિનિર્મળ શ્વેત છે (૧૧-૩૦), કલંકયુક્ત અને પાકેલા પાન જેવો છે, (૧૩), પૂર્ણચંદ્ર અને તેની કલાઓ શુભ છે (૧), તે રાત્રિમાં ઉદય પામે છે તથા બાહ્યપ્રકાશી, ક્ષય, રાહુ વડે ગ્રસિત, મેઘ વડે આચ્છાદનીય અને અલ્પપ્રકાશી છે (૧૮-૧૯). સૂર્યને તેઓ રાત્રિના અંધકારનો નાશક (૭.૪૨), સહસ્ત્ર કિરણ અને કમલોનો વિકાસક (૯), સાંજે અસ્તગામી, રાહુનો ગ્રાસ, મધ્યલોકમાત્રપ્રકાશી, મેઘો વડે આચ્છાદ્ય (૧૭), પૂર્વ દિશામાં જન્મ લેનારો (૨૨), અમલ, તેજસ્વી અને અંધારાથી બહુ દૂર (૨૩), પયોધર પાર્થવ (૨૮), કનકાવદાત અને ઉન્નત શૃંગ પર સ્થિત (૨૯) માને છે. ગ્રહણોનું સ્મરણ કરતાં તેઓ તેને અલ્પ પ્રકાશી કહે છે. સૂરિજીએ ચંદ્ર અને સૂર્ય જેવા ગ્રહોની સામે પ્રભુને ઉત્કૃષ્ટ ગણાવ્યા છે. ચંદ્રના અભ્યપ્રકાશથી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy