SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ 392 ભક્તામર સુભ્ય નમઃ | લહરીઓની અભિવ્યક્તિ માટે આ છંદ સર્વોત્તમ છે. એના ચૌદ અક્ષરને ચૌદ રાજલોકનું ગુણસ્થાનકનું પ્રતીક સમજીને ચૌદ રાજલોકના અગ્રભાગ પર સાધકે જવાનું છે અને ચૌદ ગુણસ્થાનકને પાર કરીને આત્મિક પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. આ છંદમાં સિંહોન્નતા', મધુમાધવી”, “ઉદ્ધર્મિણી વગેરે પણ નામો છે. વસંતતિલકા જેવા સુંદર છંદમાં ભક્તામર સ્તોત્રની રચના સૂરિજીએ કરી છે. તેથી તે સ્તોત્ર પણ અતિ ઉત્કૃષ્ટ પ્રકારનું કાવ્ય બન્યું છે. પ્રસન્નગંભીર પદાવલીઃ શ્રી માનતંગસૂરિએ પોતાની સાચી શ્રદ્ધાભક્તિ અને ઉચ્ચકક્ષાની સાહિત્યિક પ્રતિભાનો સમાવેશ ભક્તામર સ્તોત્રમાં કર્યો છે. દાસ્યભાવથી કરવામાં આવેલી ભક્તિ હોવાને કારણે શરૂઆતથી અંત સુધી એમની નમ્રતા અને પ્રભુ સમક્ષની લઘુતા પ્રકટ થતી જોવા મળે છે. શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે ભક્તામર સ્તોત્રની રચનામાં જે હેતુ છે તે સર્વવિદિત છે. પણ ખરેખર જે શ્રુત અને યત્નથી ઉપાસિત વાગુદેવીનો અનુગ્રહ કવિશિરોમણિને પ્રાપ્ત થયો છે તે ઘણો ચડિયાતો છે. પદે પદે પ્રાસાદિક ભાષા, પ્રવાહ, વિચારોને વળગી રહેલા વર્ષોની સ્વાભાવિક મૈત્રી, વિષયવસ્તુને વાસ્તવિક રીતે રજૂ કરનારી વાક્યરચના, અનિર્વચનીય રસપરિપાક, રસાનુભૂતિને આભાસિત કરનારું સંગીત ઉપર્યુક્ત છંદની સાથે શબ્દોનો મધુર ઝંકાર અને અર્થની ઉજ્વલતાને પ્રત્યક્ષ કરાવનારી વચનભંગિમાંથી પૂર્ણ અલંકારો આ સ્તોત્રની લોકપ્રિયતાની સાથે જ કાવ્યરસિકોને પણ રસાસિક્ત કરનાર છે. આ સુંદર સાહિત્યિક કાવ્યકૃતિઓનો ભક્તિભાવ જેટલો ઉત્કૃષ્ટ છે તેટલી જ તેની કાવ્યકલા, પણ સમૃદ્ધ છે. કોઈ પણ સાહિત્ય તરફ આકર્ષિત થવા માટે બે બાબત મહત્ત્વની હોય છે. એક તો સ્તોત્રની રચનાનો આત્મા તેનો ભક્તિભાવ હોય છે તો શરીર એની ભાષા હોય છે. કોઈ પણ પ્રકારની અનુભૂતિનું સૌંદર્ય તેની ભાષા દ્વારા જ ખીલે છે. શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રરચના સમયે આરાધના કરતાં કરતાં જે ભાવો હૃદયમાં આવ્યા તેને અનુકૂળ ભાષાનો પ્રયોગ સ્તોત્રરચનામાં કર્યો છે. જે ભાવોને ગતિમાન કરીને સુંદર સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્રમાં સૂરિજીએ ભાષાની લક્ષણા અને વ્યંજના શક્તિનો સુંદર પ્રયોગ કર્યો શ્રી માનતુંગસૂરિના સમકાલીન કવિઓ સંસ્કૃત ભાષાના મહાપંડિતો, મહામહોપાધ્યાયો હતા. તેઓએ અનેક સુંદર રચનાઓ સંસ્કૃત ભાષામાં કરી હતી. શ્રી માનતુંગસૂરિના સ્થિતકાળમાં બાણ અને મયૂર જેવા કવિઓ સંસ્કૃત ભાષાના વિશારદ હતા. તે જ પ્રતિભા તેમનાં પદ્યોમાં પણ પ્રસરેલી હતી. મહાકવિ કાલિદાસ અને અશ્વઘોષની કોમલકાત્ત પદાવલી તે વખતે મીરથીરવિતાવાટવીવાતુરીયારી કવિઓના હસ્તે અક્ષરાડમ્બર છતાં રુચિરસ્વર પદો તથા અલંકારની
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy