SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ 376 II ભક્તામર તુલ્યું નમઃ II સંબંધિત શ્લોકો મંત્રમય હોવાને કારણે ભંડારમાં ભંડારી દેવામાં આવ્યા હતા. એવી કિંવદંતીઓ મંત્રતંત્રમાં શ્રદ્ધા રાખવાવાળા માટે યોગ્ય છે. પરંતુ અરિહંત ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાવાળા મોક્ષાર્થી આત્માઓ માટે તો આ વાત સાવ જ નકામી છે. ફક્ત આ ચાર જ શ્લોકોમાં મંત્ર તંત્ર હતા અને બીજા શ્લોકોમાં નહીં એ પણ વિચારણીય પ્રશ્ન છે. ભક્તામર સ્તોત્રના ઉપલક્ષમાં અષ્ટ મહાપ્રતિહાર્યોના ક્રમને લઈને જે કંઈ વિચારો શ્વેતામ્બર વિદ્વાનોએ કર્યા છે તેમાં શ્રી હીરાલાલ કાપડિયાએ પોતાની ગ્રંથની સંસ્કૃત ભૂમિકામાં આ પ્રમાણે सज्युं छे } यदि समस्तानां प्रतिहार्याणां वर्णनमभीष्टमभविष्यत् स्तोत्रकर्तृणां तर्हिं किं चामर वर्णस्थाने आसन वर्णनात्मक पद्यं ते व्यरचरिष्यम् ? दिगंबर सूचिताधिक पद्य स्वीकारे तु व्यक्तिक्रमो વિશેષતો વરીવૃશ્યતે, યતઃ તવા 7 મો યથા (૨) અશોવૃક્ષ: (૨) સિંહાસનમ્ (૨) ચામરમ્ (૪) છત્રમ્ (૮) ટુન્ડુમિ: (૬) પુષ્પવૃષ્ટિ (૭) મામંડલ (૮) વિવ્યધ્વનિ.૨૩ - - આ જ ગ્રંથમાં તેઓ ગુજરાતી પ્રસ્તાવનામાં લખે છે કે, ‘આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ૨૪ જિનવરો અને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરતા ૨૦ જિનેશ્વરો મળી ૪૪ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ સ્તોત્ર છે એના કારણ તરીકે એનું એકેક પઘ એકેક જિનેશ્વરની સ્તુતિરૂપ છે. એવું વૃદ્ધ પરંપરામાં સૂચવવામાં આવ્યું છે. આ વાત સત્ય હોય કે ન હોય તેમજ ઉપર્યુક્ત પદ્યો પ્રક્ષિપ્ત હોય કે ન હોય તે વાત બાજુ ઉપર રાખીએ તો પણ ૪૪ને બદલે ૪૮ની માન્યતા ઉપસ્થિત થવામાં કોઈ કારણ છે કે નહિ તે તપાસવું જોઈએ.’’ એ તો સુવિદિત હકીકત છે કે શ્વેતામ્બરો તેમજ દિગમ્બરો એ બંને સંપ્રદાયો (૧) અશોકવૃક્ષ (૨) સુરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડળ (૭) દુંદુભિ અને (૮) છત્ર એમ આઠ પ્રતિહાર્ય માને છે. આ સ્તોત્રમાં તો આ પૈકી અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર પ્રતિહાર્યોનું જ વર્ણન છે. દિગમ્બરો તરફથી રજૂ કરવામાં આવતાં ચાર પદ્યોમાં બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે. એનો અથવા એ ચાર પ્રતિહાર્યોના વર્ણનરૂપ અન્ય કોઈ પદ્ય ચતુષ્ટચનો સમાવેશ કરતાં આઠે પ્રતિહાર્યોનું વર્ણન આવી જાય છે ખરું પરંતુ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું ખરેખર એમ સ્વીકારવામાં ન આવતાં ત્રુટિ રહી જવાનો સંભવ છે ? આ સંબંધમાં ભક્તામર સ્તોત્રના પ્રથમ વૃત્તિકાર શ્રી ગુણાકરસૂરિ શું કહે છે તે ત૨ફ નજર કરીએ. તેઓ વૃત્તિના ૮૩મા પૃષ્ઠમાં સૂચવે છે કે જેમાં અશોકવૃક્ષનો સદ્ભાવ હોય ત્યાં ધર્મદેશના સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડળ અને દુંદુભિ હોય છે જ એટલે અશોકવૃક્ષનું વર્ણન કવિએ કર્યું તેથી ઉપલક્ષણથી બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન પણ થઈ ગયેલું સમજવું જોઈએ. જો આઠ પ્રતિહાર્યોને બદલે ચારનું વર્ણન હોવું એ જો સૂરિજીએ રચેલા આ અદ્ભુત સ્તોત્રની ન્યૂનતા છે, તો ચોત્રીસ અતિશયો પૈકી ફક્ત એકનું જ વર્ણન એ ન્યાય ગણાય ખરો ? જો તેમ ન હોય તો ૩૨મા પદ્યમાં નવકમળની સ્થાપનારૂપ અતિશય સિવાયના બાકીના ૩૩ અતિશયોનું
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy