SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યસંખ્યાની સમસ્યા છે 359 "अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्योध्वनिश्चामरमासनं च । भामंडल दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।" આ શ્લોકની ભાષા, શૈલી અને સંરચના જોતાં એવું જણાય છે કે આ રચના સાતમી સદીના પૂર્વાર્ધ પછીની હશે. દક્ષિણાત્મક પરંપરામાં અષ્ટમહાપ્રતિહાર્યનો ઉલ્લેખ સૌપ્રથમ લગભગ ઈ. સ. છઠ્ઠી સદીના મધ્યભાગમાં રચાયેલ તિલોયપષ્ણતીમાં મળી આવે છે. ત્યાં અશોકવૃક્ષ, ગણ, સિંહાસન, છત્રત્રય, દુંદુભિ, ભામંડળ અને પુષ્પવૃષ્ટિને ગણાવવામાં આવ્યાં છે. પરંતુ ચામર પ્રતિહાર્યોનો ઉલ્લેખ નથી. દિવ્ય ધ્વનિના સ્થાને ગણનો ઉલ્લેખ છે. જે “વસુદેવ ચરિત માં પણ સમવસરણના અનુસંધાનમાં આ જ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તક્ષશ્ચાત્ મહામેધાવી દાર્શનિક સ્તુતિકાર દિગમ્બરાચાર્ય સ્વામી સમન્તભદ્રના લગભગ ઈ. સ. ૬૦૦માં રચાયેલા “સ્તુતિ વિદ્યા’ સ્તોત્રમાં અષ્ટપ્રતિહાર્યો સંબંધિત શ્લોક મળી આવે છે. સ્તુતિવિદ્યા શ્લોક ૫ અને ૬ આ પ્રમાણે છે : नतपीला सनाशोक सुमनोवर्षा भासितः । भामंडलासनाऽशोक सुमनोवर्ष भासितः ।।५।। दिव्यध्वर्निसितच्छत्रचामरेर्दुन्दुभिस्वनैः । दिव्यैर्विनिर्मितस्तोत्रश्रमदुर्दुरिभिजनैः ।।६|| અહીંયાં ભામંડળ, આસન, અશોકવૃક્ષ, સુમનવર્ષા, દિવ્યધ્વનિ, ચામર, છત્ર અને દુંદુભિ એમ બધા જ અષ્ટપ્રતિહાર્યોનો ઉલ્લેખ છે. શ્રી સમન્નુભદ્રની રચનાઓ પછીના ક્રમમાં આવે છે. પૂજ્યપાદ દેવનંદિની રચનાઓ જેમનો સમયકાળ લગભગ ઈ. સ. ૬૩૫થી ૬૮૦ સુધીનો છે. ઈ. સ. ૧૦૨૫થી ૧૦૫૦માં થયેલા શ્રી પ્રભાચન્દ્ર પોતાની ક્રિયાકલાપ ટીકા'માં દશભક્તિના નામથી પ્રચલિત સંસ્કૃત પદ્યમય રચનાઓને પાદપૂજ્ય' અથવા પૂજ્યપાદની જણાવી છે. પરંતુ આ સંદર્ભમાં શ્રી પંડિત નથુરામ પ્રેમીનું મંતવ્ય છે કે, “પૂજ્યપાદ શબ્દવિશેષણ ભૂતકાળમાં દેવનંદિ સિવાયના ભટ્ટ અકલંકદેવ અને અન્ય બીજા આચાર્યો માટે પણ પ્રયોજાતો હોવાને કારણે અને દેવનંદિથી સંબંધિત અભિલેખો તથા સાહિત્યસંદર્ભોમાં એની સુપ્રસિદ્ધ રચનાઓ – જેનેન્દ્રલક્ષણ શાસ્ત્ર અને સર્વાર્થ સિદ્ધિ ટીકા અને તે ઉપરાંત “સમાધિતંત્ર' તથા “ઇબ્દોપદેશ' સિવાય ક્યાંય પણ “દશભક્તિનો ઉલ્લેખ ન હોવાને કારણે એમની કર્તવ્યસ્થિતિ લગભગ અનિશ્ચિત છે. ‘દશભક્તિની શૈલી દેવનંદિની અન્ય રચનાઓની ગૂંથણી અને પ્રસાદની દૃષ્ટિએ આનાથી નિરાળી અને વધારે સુંદર છે અને દેવનંદિની પોતાની રચનાના જુદી જ રીતનાં લક્ષણો, શબ્દોની પસંદગી વગેરે પણ દૃષ્ટિગોચર થાય છે. આ બધી જ રચનાઓ પૂજ્યપાદ'ની રચના હોવાનો પ્રભાચન્દ્ર પાસે ચોક્કસ કોઈક પારંપરિક આધાર રહ્યો હશે. પરંતુ તેઓએ એ નથી જણાવ્યું કે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy