SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પધસંખ્યાની સમસ્યા છે 349 પ્રચલિત હતી, કારણ કે ચોથા સ્મરણ તિજ્યપહુરની સ્તોત્રાનુકૃતિના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ સંબંધી ચર્ચા કરતાં મેં ત્રણ હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કરેલો છે. તે ત્રણે શ્વેતામ્બરાચાર્યો જ હતા. વળી દિગમ્બરોમાં તે નામના કોઈ આચાર્ય થઈ ગયા હોવાનો ઉલ્લેખ સુદ્ધાં નથી. હવે પ્રશ્ન એ થાય છે કે આ મંત્રો તથા તંત્રોના રચયિતા હરિભદ્રસૂરિ કયા હોવા જોઈએ. મારી માન્યતા પ્રમાણે તો ઉપર ઉલ્લેખાયેલા ત્રણ પૈકી બીજા અથવા તો ત્રીજા હરિભદ્રસૂરિની જ રચેલી આ યંત્ર કૃતિઓ તથા તંત્રો વગેરે હોવાં જોઈએ.’ શ્રી સારાભાઈ નવાબ પ્રચલિત ચાર વધારાના શ્લોકો જે કાશ્મીરતારથી શરૂ થાય છે તેના સ્થાને વિશ્વવિમો: સમનસ:થી શરૂ થતા બીજા ચાર શ્લોકવાળા ગુચ્છકને રજૂ કરીને આગળ જણાવે છે કે, “વળી જૈન શ્વેતામ્બર ભંડારોમાં મળી આવેલી યંત્રોવાળી લગભગ સો ઉપરાંત હસ્તલિખિત પ્રતો મેં તપાસી જોઈ છે તે બધી પ્રતોમાં પણ ૪૮ ગાથાઓ અને તેને લગતાં ૪૮ યંત્રો મળી આવે છે. આ ૪૮ યંત્રો સિવાયનાં બીજાં ૪૪ યંત્રોવાળી પ્રત કોઈ પણ શ્વેતામ્બર ભંડારમાં મારા જોવામાં અથવા સાંભળવામાં પણ આવી નથી. અને ઋદ્ધિનાં પદો પણ ૪૮ જ છે. તેથી યંત્રો પણ ૪૮ અને કાવ્યો પણ ૪૮ જ હોવાં જોઈએ. પછી ચાર કાવ્યો અખ્ખીરતારથી શરૂ થતાં હોય કે વિશ્વવિમોથી શરૂ થતા હો યા ત્રીજા હો તે બાબતનો વાંધો નથી. એટલે મારી માન્યતા પ્રમાણે તો ભક્તામરના પ્રાચીન ટીકાકાર શ્રી ગુણાકરસૂરિના સમય પછી એટલે કે વિ. સં. ૧૪૨૬ પછીથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ભક્તામરના ૪૪ શ્લોકો હોવાની માન્યતા શરૂ થઈ હોવી જોઈએ અને તે માન્યતા શાથી શરૂ થઈ હશે તે નક્કી કરી શકવું બહુ મુશ્કેલ છે. કારણ કે તેઓએ ટીકા ૪૪ શ્લોક ઉપર રચી છે અને ત્યાર પછીના ભક્તામર પાદપૂર્તિ કાવ્યો પણ મોટે ભાગે ૪૪ જ શ્લોકો પર જ રચાયા છે. ગમે તેમ હો બંને માન્યતાઓ પ્રાચીન છે અને યંત્રો પણ બંને પ્રકારના ૪૮ કાવ્યો ઉપર મળવાથી મેં પણ પ્રસ્તુત ગ્રંથમાં ૪૮ જ કાવ્યો આપવા ઉચિત ધારીને ૪૮ કાવ્યો છપાયેલાં છે." શ્રી સારાભાઈ નવાબના આ કથનમાં અનેક વિપરીત પ્રતિભાવો જણાય છે અને કોઈક વિધાનો તો ઘણા વિદ્વાનોને અયોગ્ય પણ જણાયાં છે. પ્રથમ વાત તો એ છે કે શ્રી ગુણાકરસૂરિની સામે જ ભક્તામરની પ્રતો રહી હશે એમાં પણ ૪૪ શ્લોકો જ હશે. એમને પોતાને જ સ્તોત્રમાં અષ્ટ મહાપ્રતિહાર્યોની જગ્યાએ રહેલા ચાર જ પ્રતિહાર્યોની ઘટનાથી સંબંધિત સમાધાન પ્રસ્તુત કરવું પડ્યું હતું જે આ પ્રમાણે છે : "अत्र प्रतिहार्य प्रस्तावना प्रस्तपोऽनुक्ता अपि पुष्पवृष्टि, दिव्यध्वनि भामण्डल दुन्दुभयः स्वधि याऽवतार्याः । ..... एतत् सर्व चत्रा शोकतरोः प्रादुर्भावस्तत्र स्वाद् देशनाक्षणे ? अशोक तरु सह चारित्वात् पृथग् नाहताः कविना !" શ્રી ગુણાકરસૂરિએ આ પ્રમાણેનું સમાધાન રજૂ કર્યું. હવે તેમનાથી ૯૩ વર્ષ પૂર્વે થયેલાં શ્રી પ્રભાચન્દ્રાચાર્યની પાસે પણ ૪૪ શ્લોકવાળી પ્રતો હતી અને એમના સમયથી પણ ૧૦૦
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy