SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ 342 ON ભક્તામર સુભ્ય નમઃ | (૧) જ્યારે કલ્યાણમંદિર સ્તોત્ર ૪૪ શ્લોકોનું છે તો એનાં જોડકાં ભક્તામર સ્તોત્રના પણ ૪૪ શ્લોકો જ હોવા જોઈએ. તો એના ૪૮ શ્લોક કેમ હોય ? (૨) ભરતક્ષેત્રના ૨૪ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના ૨૦ તીર્થકરોની કુલ સંખ્યા ૪૪ તો આ સંખ્યા અનુસાર ભક્તામર સ્તોત્રના શ્લોકની સંખ્યા પણ ૪૪ હોવી જોઈએ. (૩) શ્વેતામ્બર જૈન ગુરુકુલના એક સ્નાતક દ્વારા આ ઉત્તર પ્રાપ્ત થયો છે કે “ભક્તામર સ્તોત્ર' એ મંત્રશક્તિથી પૂર્ણ સ્તોત્ર છે. એના મંત્રોને સિદ્ધ કરીને મનુષ્યએ એ મંત્રને આધીન દેવોને બોલાવી, બોલાવીને તંત્ર કરતા હતા. દેવોએ પોતાની વ્યથા માનતુંગાચાર્યને સંભળાવી કે મહારાજા, આપે ભક્તામર સ્તોત્ર બનાવીને અમારા માટે મોટી આફત ઊભી કરી નાખી. મંત્ર સિદ્ધ કરીને લોકો અમને આરામથી બેસવા પણ દેતા નથી. કોઈ પણ સમયે મંત્રશક્તિથી બોલાવી બોલાવીને અમને પરેશાન કરતા રહે છે. માનતુંગાચાર્ય દેવો પર દયા કરીને ભક્તામર સ્તોત્રમાંથી ચાર શ્લોકો કાઢી નાખ્યા એટલે ભક્તામર ૪૪ શ્લોકવાળું જ હોવું જોઈએ. જો આ સમાધાન પર વિચાર કરવામાં આવે તો ત્રણે સમાધાન નિઃસહાય દેખાય છે. માનતુંગાચાર્ય અને કુમુદાચાર્યને કોઈ એકબીજા પર સમજૂતી ન હતી કે આપણે બંને એક જ સરખી સંખ્યાવાળા સ્તોત્ર બનાવીએ. દરેક કવિ પોતપોતાના સ્તોત્રની પદ્યસંખ્યા રાખવા માટે સ્વતંત્ર છે. બીજી વાત કે માનતંગાચાર્ય તો કુમુદચન્દ્રાચાર્યથી બહુ પહેલાં થયા છે. એટલે પહેલા મુદ્દા અનુસાર ભક્તામરના શ્લોકની સંખ્યા ૪૪ સિદ્ધ થતી નથી. બીજું સમાધાન પણ ઉપહાસજનક છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિએથી તીર્થકરોની સંખ્યા ૨૪, ૪૮, ૭ર વગેરે અનેક બતાવી શકાય. ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકરો છે. તો તેની સાથે સમસ્ત મહાવિદેહના ૨૦ તીર્થકરોને જ કેમ મેળવવામાં આવે છે? એરાવત ક્ષેત્રમાં ૨૪ તીર્થકરો કે અઢીદ્વિપના સમસ્ત ભરતક્ષેત્રના તીર્થકરોની સંખ્યા કેમ લેવામાં આવતી નથી. તીર્થકરોની સંખ્યા અનુસાર સ્તોત્રની પદ્યસંખ્યાને જ માનવું તદ્દન નિતાન્ત) ભોળપણ છે અને તે બીજા સ્તોત્રની પદ્યસંખ્યાને દૂષિત કરી દેશે. એટલે બીજી વાત પણ વ્યર્થ છે. હવે રહી ત્રીજી વાત. એમાં પણ કોઈ સાર દેખાતો નથી. કારણ કે ભક્તામર સ્તોત્રનો પ્રત્યેક શ્લોક જ્યારે મંત્રશક્તિથી પૂર્ણ છે અને પ્રત્યેક શ્લોક મંત્રરૂપથી કાર્યમાં લઈ શકાય છે ત્યારે દેવોનું સંકટ હટાવવાને માટે માનતુંગાચાર્ય ફક્ત ચાર શ્લોકોને જ કેમ કાઢી નાખે ? બધાને કેમ નહિ ? કારણ કે જો સાચોસાચ જ ભક્તામર સ્તોત્રની મંત્રારાધનાથી દેવો તંગ થતા હોત તો અને માનતુંગાચાર્યને એમના પર દયા કરવી ઇષ્ટ હોત તો તેઓએ શેષ ૪૪ શ્લોકને દેવોની વિપત્તિ માટે કેમ છોડી દીધા ? આનો કોઈ સમુચિત ઉત્તર ન હોઈ શકે. અતઃ આ સમાધાનોથી તો ભક્તામર સ્તોત્રના શ્લોકની સંખ્યા ૪૪ સિદ્ધ થતી નથી.” શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રીને શ્વેતામ્બરો દ્વારા જે ત્રણ ઉત્તર પ્રાપ્ત થયા હતા, તેમાં પ્રથમ અને દ્વિતીય ઉત્તર ક્યાંથી પ્રાપ્ત થયા હતા, તેનો આધાર શું હતો તેનો તેઓએ કોઈ ઉલ્લેખ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy