________________
326* ॥ ભક્તામર તુલ્યું નમઃ |
શબ્દનું પદમાં સુંદર સુગઠિત રીતે સંયોજન કર્યું છે. અને તેના ફળ સ્વરૂપે આ સ્તોત્રની માળા રુચિરવર્ણવાળાં વિવિધ પુષ્પોની બનેલી છે.
સૂરિજી દ્વારા ભક્તિભાવપૂર્વક રુચિરવર્ણનાં વિવિધતાવાળાં પુષ્પોની જે સ્તોત્રરૂપી માળા રચાયેલી છે. તે માળાને ભક્તજનોએ “ધત્તે નનો દ તાતા મખન્ન - અર્થાત્ જે કોઈ મનુષ્ય આ માળાને કંઠમાં અનĀ - નિરંતર ધારણ કરશે એટલે કે આ સ્તોત્રને કંઠસ્થ કરશે અને તેનો નિત્ય નિયમિત પાઠ કરવો જોઈએ. જો સ્તોત્ર ત્રંજ છે તો તેને અસ્ત્ર નિરંતર ધારણ કરવી જોઈએ. દ૨૨ોજ તેનો પાઠ થવો જોઈએ. ચોથી પંક્તિમાં સૂરિજી ‘તમ માનતુંગ' કહે છે અર્થાત્ જો તમારો માનથી વત્તુંTM થવું હોય તો આ સ્તોત્રરૂપી માળાને કંઠમાં ધારણ કરી તેનો નિરંતર પાઠ કરવો જ જોઈએ. કર્મથી પણ ઉત્તુંગ થવું હોય તો પણ આ સ્તોત્રનો પાઠ નિરંતર કરવો જોઈએ. સૂરિજીએ આ સ્તોત્રમાં આઠ ભયોનું જે વર્ણન કર્યું છે તે ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મો છે. આ આઠે કર્મોના ઉદયથી દરેક મનુષ્ય ત્રસ્ત અને ધ્વસ્ત છે. આના નિવારણ રૂપે આ રુચિરવર્ણવાળાં વિવિધ પુષ્પોની માળા જે પ્રભુના ગુણોથી ગૂંથાયેલી છે તેનો નિરંતર જાપ ક૨વાથી “માનતુંગ” બનાય છે.
આ શ્લોકમાં સૂરિજીએ જિનેન્દ્ર સંબોધન કર્યું છે. આ વિવિધ પ્રકારના રુચિરવર્ણવાળાં પુષ્પોની માળા શ્રી જિનેશ્વરદેવના ગુણોથી ગૂંથાયેલી માળા છે. આવી જિનેશ્વરદેવના ગુણોવાળી માળા જે નિરંતર કંઠમાં ધારણ કરે છે તે અવશ્ય માનતુંગ બને છે.
ભક્તામર સ્તોત્ર વિષયક સૌથી પુરાણી ટીકા જેમની મળી આવી છે તે શ્રી ગુણાકરસૂરિજી મહારાજ સાહેબે માનતુંગના છ અર્થ કર્યા છે. આ છ અર્થ કરવા પાછળ તેમની કોઈ મર્યાદા રહી હશે. કારણ કે તેઓ તેમની ટીકામાં જણાવે છે કે “અન્યોઽવિ શુમોડર્થઃ સુધીમિ: સ્વધિયા વ્યારજ્યે..
અર્થાત્ હે સુધી ! હે બુદ્ધિશાળીઓ ! આમ તો મેં છ અર્થ કર્યા છે. તમારે તમારી બુદ્ધિને વિકસાવીને બીજા પણ અર્થો ક૨વા. જે અર્થ કરો તે શુભ અર્થ કરજો. સ્તોત્રકારનું હાર્દ જળવાય, ગોરવ વધે અને વાચકનું ગૌ૨વ પણ વિકસિત બને. આવું સૂચન શ્રી ગુણાકરસૂરિજીએ સમગ્ર ભક્તામર માટે કર્યું છે.
શ્રી ગુણાકરસૂરિજીએ માનતુંગના છ અર્થ કરી બતાવ્યા છે. તે નીચે મુજબ છે. ‘માન’ એટલે ચિત્તની ઉન્નતિ અને ‘તુંગ’ એટલે ઊંચા.
(૧) ‘માનતુંગ’ એટલે ચિત્તની ઉન્નતિથી ઊંચા
(૨) ‘માનતુંગ’ એટલે પ્રતિષ્ઠાની પ્રાપ્તિથી ઊંચા (૩) ‘માનતુંગ’ એટલે અભિમાની પુરુષોત્તમ (કૃષ્ણ)