SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર = 325 મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થશે ? તેનો રસ્તો બનાવતાં સૂરિજી કહે છે કે, જે કોઈ ભવ્યજીવ આ સ્તોત્રરૂપી માળાને નિયમિત પણે કંઠમાં ધારણ કરશે એટલે કે નિયમિત ઉત્તમ ભાવપૂર્વક તેનો પાઠ કરશે તે મુક્તિરૂપી લક્ષ્મી મોક્ષને અવશ્ય પ્રાપ્ત કરશે. આ ભાવના સ્તોત્રની ફળશ્રુતિ છે. સ્તોત્રરૂપી માળા છે તે શ્રુતજ્ઞાનરૂપી દોરાથી ભગવાનના ચારિત્રના અનેક ગુણો રંગબેરંગી ફૂલો વડે ગૂંથેલી છે. સ્તોત્રરૂપી માળા કેવી હોય તે સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “પ્રભુના ગુણરૂપી દોરા વડે, વિવિધ અક્ષરોરૂપી રંગીન ફૂલો વડે ભાવથી ગૂંથાયેલી છે. કોઈ પણ માળામાં ફૂલ, દોરા અને દોરામાં ફૂલને પરોવનાર એ ત્રણેની જરૂર પડે છે. અહીં અક્ષરો ભાષાના વર્ણો રૂપી ફૂલ છે. આ અક્ષરોને સાંકળનાર તેમાંથી ભવ્ય અર્થની નિષ્પત્તિ કરનાર વિશિષ્ટ અર્થવાળો શબ્દ બને છે. આમ એ કાર્ય દોરાના કાર્ય જેવું છે. એટલે કે ગુણો એ દોરા સ્વરૂપે છે. અને એ ગૂંથણી કાર્ય કરે છે. પરોણીગર જે અહીંયાં આચાર્યજી પોતે છે અને ફૂલ, દોરા અને પરોણીગર એ ત્રણેયની એકતાથી સુંદર માળા રચાય છે. એવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાથી સુંદર આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. એ ધ્વનિ પકડતાં અવશ્ય આનંદ થાય.” આ શ્લોકનો પ્રથમ શબ્દ “તોત્ર સ્ત્ર . અર્થાત્ સ્તોત્ર માળા છે; “ભક્તામર એ માત્ર સ્તોત્ર નથી. પરંતુ સ્તોત્ર માળા છે. દરેક માળામાં દોરો એક જ હોય છે. આ માળા પણ એક જ દોરામાં પ્રભુના એક ગુણમાં બંધાયેલી છે. માળા એક જ વર્ણનાં પુષ્પોની પણ હોઈ શકે અને વિવિધ વર્ણનાં પુષ્પોની પણ હોઈ શકે. અહીં આ ભક્તામર સ્તોત્રરૂપ પુષ્પમાલા અનેક જાતનાં પુષ્પોની બનેલી છે. ગુજરાતી ભાષામાં વિચિત્ર'નો અર્થ ન ગમે તેવું સૂગ ચડે તેવું કે ન સમજ પડે તેવું થાય છે. આ ભક્તામર સ્તોત્રરૂપ માળા પણ વૈવિધ્યવાળી, વિવિધતાવાળી, અનેકવિધ સુંદર પુષ્પોની માળા છે. વિચિત્ર પુષ્પમ્ - અનેક જાતનાં પુષ્પોની આગળ તેમણે “વિરવ - વિવિધ વર્ગો શબ્દ મૂક્યો છે. રુચિર એટલે લોકોની રુચિ પ્રમાણેનું દરેકના મનને ગમી જાય તેવું. શ્રી માનતુંગસૂરિએ લોકોના મનને રુચે એવું કાવ્ય બનાવ્યું છે. તેઓએ લોકરુચિને સમજીને કાવ્યરચના કરી છે. તેઓ લોકાનુગામી નથી, પરંતુ તેઓ લોકોની રુચિને લોકોત્તર માર્ગે વાળે છે. કારણ કે “ભક્તામર” જેને કે જેનેતર, ભોગાર્થી કે ભૌતિકાર્થી, વિરાગાર્થી કે વીતરાગાર્થી, મોહાર્થી કે મોક્ષાર્થી દરેકને ગમી જાય તેવું સ્તોત્ર છે. આ સ્તોત્રના પઠનથી ભૌતિકપ્રાપ્તિ થશે. પણ તે માત્ર દેહિક હશે. પરંતુ પરમસુખ, મોક્ષસુખને પામવું હોય તો અનંતજ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામીના ગુણોનું વર્ણન કરીને ઘાતી-અઘાતી કર્મોનો નાશ કરવો જરૂરી છે. સૂરિજીએ સ્તોત્રમાં રુચિર વર્ણના સંયોજન દ્વારા મોક્ષની પ્રાપ્તિ સરળ બનાવી છે. વર્ણોનો અર્થ એ થી ક્ષ' સુધીના અક્ષરો છે. અને એ વર્ણના સંયોજનમાં “રુચિરતા’ વિવિધતા હોય છે. આથી ‘ક્ષ સુધીના વર્ણ બધાની પાસે જ હોય છે. પરંતુ એ વર્ણનું સંયોજન કરવું એજ ખૂબી છે. આ સ્તોત્રમાં સૂરિજીએ વર્ણનું શબ્દમાં, અને
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy