________________
302
| ભક્તામર તુલ્યું નમઃ |
કાળો કાળો અતિશય બની લાલ આંખો કરેલી, ક્રોધે પૂરો બહુવિધ વળી ઉછળે ફેણ જેની; એવો મોટો મણિધર કદિ આવતો હોય સામે, નિશે થંભે તુરત અહિ તે હે પ્રભુ ! આપ નામે. (૩૭)
શબ્દાર્થ
વેક્ષણમ્ – લાલ આંખોવાળા, સમદ્ – ઉન્મત્ત, વોર્નિવઝ – કોયલના કંઠ જેવો, નિત્તમ - શ્યામ વર્ણનો, શોધોદ્ધતમ્ – અત્યંત ક્રોધાયમાન, નિમ્ – સાપને, ૩ – ઊંચી ફેણ કરેલા, મા તત્તમ્ – સામે આવી રહેલા, ગાામતિ – પગ મૂકીને ચાલ્યા જવું, ઉલ્લંઘવું, મયુરોના - બે પગ વડે, નિરક્તશ – નિર્ભય થઈને, શંકા રહિત થઈને, ત્વનામ્ – આપના નામરૂપી, નામની – નાગદમની, નાગદમની વિદ્યા, વિ યર પુર: – જે પુરુષના હૃદયમાં. ભાવાર્થ :
હે પ્રભુ ! જે પુરુષના હૃદયમાં આપના નામરૂપી નાગદમની રહેલી છે, તે પુરુષ નિર્ભય બનીને લાલ આંખોવાળા, ઉન્મત્ત કોયલના કંઠ જેવા શ્યામ વર્ણના, અત્યંત ક્રોધાયમાન થયેલા ઊંચી ફેણ કરીને ડસવાને માટે સામે આવી રહેલા એવા સર્પને પણ બે ભાગ વડે સ્પર્શીને ઉલ્લંઘી શકે છે. વિવેચન : ગાથા ૩૭
સ્તોત્રકાર સૂરિજીએ શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણ અને મંત્ર દ્વારા ગજભય, સિંહભય, દાવાનલના ભય સામે અભયને વર્ણવીને હવે પછીના મહાભયોની ગણતરીમાં મણિધર નાગરાજના ભયની ગણના થાય છે. આ ઉપસર્ગના નિવારણ માટે પણ પ્રભુના નામસ્મરણથી નાગદમનીનું કામ થાય છે. એ સૂરિજીએ વર્ણવ્યું છે. ક્રોધે ભરાયેલા, કરડેલા, મહાવિષધર નાગનું ઝેર ઉતારવા નાગદમની નામની જડીબુટ્ટી વાપરવી પડે છે, અને મંત્રનો ઉપયોગ પણ કરવો પડે છે. શ્રી આદિનાથ ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે તો તે નાગદમની અને મંત્ર બંનેનું કાર્ય કરે છે. એટલે કે પ્રભુનું નામસ્મરણ એ એક જ ઉત્તમ પ્રકારની નાગદમની અને મંત્ર છે. એ પ્રસ્તુત શ્લોકમાં સૂરિજીએ બતાવ્યું છે.
આ સર્પ કેવો છે તે વર્ણવતાં સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, સર્પોમાં પણ કાળા નાગની ગણના મહાવિષધરમાં થાય છે. કારણ કે આવા નાગ દંશ દે તો જીવાત્માઓ થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામે છે. મહાવિષધર કાળો નાગ કેવો હોય છે તેના માટે કોયલનું ઉદાહરણ આપે છે. આમ્ર મંજરીઓનો રસ ચૂસીને ઉન્મત્ત થયેલ કોયલનો કંઠ શ્યામવર્ણ હોય છે. તેના જેવા વર્ણવાળો એટલે મહાવિષધર કાળો નાગ, તે અત્યંત ક્રોધિત થયો હોય ત્યારે તેની આંખ લાલચોળ બની જાય છે. અને તે તરત જ ફેણ ઊંચી કરી દંશ દેવા તત્પર બને છે. આવા ભયાનક સર્પનો સામનો