________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 287 પ્રગટે છે અને અમુક સમયે વિલીન થઈ જતા હોય છે. જેમકે સમવસરણમાં અશોકવૃક્ષ, સિંહાસન, સુવર્ણકમળ, પુષ્પવૃષ્ટિ વગેરે, જ્યારે છત્ર એક એવો અતિશય છે કે તે પ્રભુને કેવળજ્ઞાન થાય ત્યારથી તે પ્રભુ નિર્વાણ પામે અને સિદ્ધક્ષેત્રમાં જાય ત્યાં સુધી તેમના મસ્તક ઉપર સતત વિદ્યમાન રહે છે. આ છત્ર અતિશયની વિશેષતા છે.
સમવસરણમાં શ્રી જિનેશ્વરદેવ ચતુર્મુખ દેખાય છે. આ ચારે દિશાના ચારેય મસ્તક ઉપર આવા ત્રણ છત્રો હોય છે. આને છત્રાદિછત્ર કહેવામાં આવે છે.
આ ત્રણ છત્ર દ્વારા જ પ્રભુનું ત્રણ લોક પરનું એકચક્રી સાચું સ્વામીત્વ સૂરિજીએ વર્ણવ્યું છે. શ્લોક ૩રમો
उन्निद्रहेमनवपङ्कजपुञ्जकांतिपर्युल्लसन्नखमयूखशिखाभिरामौ पादौ पदानि तव यत्र जिनेन्द्र! धत्तः, पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ।।३२ ।। સોના જેવાં નવીન કમળો રૂ૫ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિષે પ્રભુજી પગલાં આપ કેરાં ઠરે છે, ત્યાં ત્યાં દેવો કમલદલની સ્થાપનાને કરે છે. (૩૨)
શબ્દાર્થ
નિદ્ર – વિકસ્વર એવા, હેમવનપાન – સુવર્ણનાં નવીન કમળો, પુષ્માત્તિ – સમૂહની કાંતિથી, પર્યુક્લંસનરવ – ઝળહળતા નખોના, મયૂર્વીશ – કિરણોના અગ્રભાગથી, મમરાની - મનોહર, તવપાલી પલાનિધત્ત: – આપના બે ચરણો જ્યાં પગલાં મૂકે છે, યત્ર – જ્યાં, વિવુધા - દેવો, પાનિ – સુવર્ણ કમળોને, પરિવત્તિ – રચે છે, તત્ર – ત્યાં. ગિનેન્દ્ર – જિનેશ્વર ભાવાર્થ :
હે જિનેશ્વર ! વિકસ્વર એવા સુવર્ણનાં તાજાં કમળોના સમૂહ સમાન દિવ્ય કાંતિથી ઝળહળતા નખના અગ્રભાગ વડે મનોહર એવા આપના પવિત્ર ચરણયુગ્મનાં જ્યાં પગલાં મુકાય છે ત્યાં દેવો સુવર્ણનાં નવ કમળોની રચના કરે છે. વિવેચનઃ ગાથા ૩૨
સ્તોત્રકાર સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનના દેશના સમયના પ્રતિહાર્યો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર આ ચારનાં શબ્દચિત્રો રજૂ કર્યા પછી હવે પ્રભુના ૩૪ અતિશયોમાંથી એક અતિશયનું સુંદર ચિત્ર રજૂ કરે છે. તીર્થ પ્રવર્તાવવાનો આરંભ કર્યા પછી શ્રી તીર્થંકર પરમાત્મા