________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 251 થયું. અરિહંત ભગવાનમાં જ સર્વજ્ઞ-વીતરાગત્વ હોય છે. જે મોક્ષમાર્ગના દાતાર છે અને તેથી જ મારું મન આપમાં લલચાયું છે, અને જગતનાં બીજાં કોઈ તત્ત્વમાં હવે મને લાગતું નથી. તેથી આ ભવમાં કે ભવોભવમાં આપના દર્શાવેલ માર્ગમાંથી ચલિત થઈશ નહિ, અને અન્ય કોઈ પણ દેવ મારા મનનું હરણ કરી શકશે નહિ. અનાદિકાળના હરિહરાદિ દેવો જે સંતોષ ન આપી શક્યા તે સંતોષ આપના શાંત-સૌમ્ય મુખમંડળથી પ્રાપ્ત થઈ ગયો. પહેલાં ક્યારેય આવો સંતોષ ન મળ્યો, હવે આપના માર્ગમાં શુદ્ધાત્માનું દર્શન થતાં જ પરમ સંતોષ થયો.
અહીં સૂરિજી દ્વારા શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. શ્રદ્ધા છે પણ અંધશ્રદ્ધા નથી. અને અંધશ્રદ્ધા યુક્ત ભક્તિ પણ નથી. સાધક જીવ પરમાત્માની આવી ભક્તિ કરતાં કરતાં પોતે પણ અલ્પકાળમાં રાગદ્વેષરૂપ કષાયોમાંથી મુક્ત થઈને પરમાત્માસ્વરૂપ થઈ જાય છે. અર્થાત્ સૂરિજીએ મોક્ષમાર્ગની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરી છે અને કોઈ પણ હરિહર દેવો હવે તેમને આ માર્ગથી ચલિત નહિ કરી શકે એવો દઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે પ્રભુના સાંનિધ્યમાં રહીને એમણે બતાવેલ, એમના જેવા બની શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાનો દઢ નિર્ણય સૂરિજીએ કરેલો જણાય છે.
આચાર્ય મહાપ્રજ્ઞ આ શ્લોક વિષે જણાવે છે કે, “સ્તુતિકારે આ શ્લોકમાં કેટલાક શબ્દો પ્રતીકાત્મક મૂક્યા છે. જ્યાં હરિ છે, ત્યાં હરિનું દર્શન છે. જ્યાં હર છે ત્યાં શૈવદર્શન છે. તેમની સાથે આદિ શબ્દનો પ્રયોગ કરીને અનેક અનેકાન્તવાદી દર્શનો તરફ સંકેત કર્યો છે. એકાન્ત દૃષ્ટિની આલોચના અને અનેકાન્ત દૃષ્ટિનો અભ્યપગમ બંને આ શ્લોકમાં સ્પષ્ટ પરિલક્ષિત છે. માનતુંગનું આ કથન તેનું સ્પષ્ટ સાક્ય છે કે આ અનેકાન્તદર્શન ભવાંતરમાં પણ મને પ્રભાવિત કરતું રહેશે.”
સ્તોત્રકાર સૂરિજીએ અનેકાન્તવાદને સ્વીકારી તેમાં દઢ શ્રદ્ધાવાન થયા છે. અને આ ભવ અને પરભવમાં પણ તેઓ જ્યાં સુધી સંસારના ભવભ્રમણામાંથી મુક્ત થઈ શાશ્વત સુખની પ્રાપ્તિ નહિ કરે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના આ અનેકાન્તદર્શનથી પ્રભાવિત રહેશે. આમ આ શ્લોકમાં સૂરિજીએ પોતાના આત્માની વાત કહી પોતાનું આત્મનિવેદન વ્યક્ત કર્યું છે. શ્લોક ૨૨મો
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्ररश्मि પ્રાÀવ વિ નનયતિ રવંશુનતમ્ તારી સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે. તારા જેવા અનુપમ નહિ પુત્રને જન્મ આપે. નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિકિરણને પૂર્વ દિશા જ એક. (૨૨)