SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ભક્તામર તુલ્યું નમઃ ।। 208 શશિ – ચંદ્ર, તેના વર્ ક્ષીરસાગરનું શ્વેત દૂધ – ચાખવાને ફòત્ ઇચ્છે છે ? : — - કિ૨ણ, તેની શ્રુતિ – કાંતિ છે જેમાં તે શશિરવ્રુતિ. લુસિન્ધોઃ કોણ નનિષેઃ – દરિયાનું ક્ષર્ નનં – ખારું પાણી રસિતુમ - ભાવાર્થ : હે પ્રભો ! આંખનો પલકારો માર્યા વિના અનિમેષ દૃષ્ટિએ, નિરંતર દર્શન કરવા યોગ્ય એવા આપના રૂપને એક વાર જોયા પછી મનુષ્યની આંખો અન્ય કોઈ સ્થળે સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણની કાંતિ જેવું ક્ષીરસમુદ્રનું શ્વેત દૂધ પીધા પછી દરિયાનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે ? – વિવેચન : ગાથા ૧૧ સ્તોત્રકાર સૂરિજીએ સ્તોત્રના મંગલાચરણમાં ભગવાનનાં સ્તુતિ-સ્તવન, કીર્તનનો મહિમા અને સ્તોત્રરચનાનો હેતુ તેમજ તેમની કથાનો મહિમા જણાવ્યો. હવે આ શ્લોકમાં પ્રભુના દર્શનનો મહિમા જણાવે છે. શ્રી આદિનાથ ભગવાનનું અનન્યપણું કેવી રીતે છે અને અન્ય જીવો કરતાં શા માટે તેઓ જ સ્તુત્ય છે તે ઉદાહરણ દ્વારા તેઓ સમજાવે છે. સૂરિજી જગતથી પર બની પ્રભુમય બનવા ઇચ્છતા હતા. તેથી જ પોતાના ભાવોની અભિવ્યક્તિ પણ પ્રભુને જ સંબોધીને કરી છે. તેમને સમગ્ર જગતની અંદર જો કોઈ દર્શનીય હોય તો તે શ્રી આદિનાથ ભગવાન જ એવું લાગે છે. કારણ કે તે સર્વોત્કૃષ્ટ છે, સર્વોત્તમ છે. તેમના સિવાયના જીવો તેમનાથી ઊતરતી કક્ષાના છે. શ્રી આદિનાથ ભગવાન સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ છે. કારણ કે ધર્મની શરૂઆત કરનાર, યુગલિયા ધર્મને નિવારનાર, મુક્તિના માર્ગે લઈ જનાર, વગેરે અનેકવિધ ઉપકાર કરનારાઓમાં તેઓ પ્રથમ હતા. માટે સૂરિજી તેમને સર્વોત્તમ ગણે તો તે યોગ્ય જ છે. આવા શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન અનિમેષ નયને અર્થાત્ અપલક દૃષ્ટિએ આંખની પાંપણનું મટકું માર્યા વગર કરવાયોગ્ય સૂરિજીએ કહ્યાં છે. યોગીરાજ આનંદઘનજીએ ચર્મ-નયન અને દિવ્યનયન(આત્મચક્ષુ)નો ભેદ વ્યક્ત કરીને દર્શન(માર્ગ)નો મહિમા દર્શાવ્યો છે ઃ “ચરમ નયન કરી મારગ જોવતા, ભૂલ્યો સકલ સંસાર જે. ને જયણે કરી મારગ જોઈએ, નયન તે દિવ્ય વિચાર રે. ચર્મચક્ષુઓ વડે જોવું એ જોવું છે, અને દિવ્ય નયનો વડે જોવું એ દર્શન છે. જેણે ૫૨માત્માને નથી જોયો તેણે કાંઈ નથી જોયું. જેણે પરમાત્માનાં દર્શન કર્યાં તેણે કંઈક જોયું. જેણે પરમાત્માને આંખોમાં વસાવ્યા તેણે સર્વસ્વ જોયું.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy