SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 185 વિસાતત્ર. - લજ્જારહિત, મર્યાદાના ભાનવિના. વિસાત – વિશેષતા પૂર્વક જેની ગયેલી છે જેની ત્રયા લજ્જા-શરમ, તે વાતત્ર :. ગમ્ – હું માનતુંગસૂરિ. યુદ્ધવિના મા – બુદ્ધિ વિના પણ, બુદ્ધિ નહિ હોવા છતાં વૃદ્ધિ - જ્ઞાનશક્તિ, પ્રજ્ઞા, સ્તોતુન – (તમારી સ્તુતિ કરવાને. (અહીં ત્યાં પદ અધ્યાહારથી લેવાનું છે) સમુદતમતિઃ - તૈયાર થઈ છે જેની બુદ્ધિ એવો. સમુદ્યત – સારી રીતે તૈયાર થયેલી છે જેની મતિ – ઉદ્ધિ તે સમુદ્યતમતિઃ. ખતરશતમ્ – પાણીમાં રહેલું ? – પાણીમાં, રિયત – રહેલું, તે ખતરરિસ્થતિમ આ પદ ડુમિ -નું વિશેષણ હોવાથી બીજી વિભક્તિમાં આવેલું છે. ફવિપ્લમ્ – ચંદ્રના પ્રતિબિંબને. રૂદ્ – ચંદ્ર, તેનું – પ્રતિબિમ્બ તે ડુત્ત્વવિ, તેને અર્થાત્ ચન્દ્રના પ્રતિબિંબને. વાનમ્ વિદાય - બાળકને છોડીને, બાળક વિના (સિવાય) અન્ય : ગન. - બીજો કયો માણસ ? સહસા – વગર વિચાર્યે પ્રીતુન્ – ગ્રહણ કરવાને, પકડવાને રૂછતિ – ઇચ્છે છે. ભાવાર્થ : દેવોએ જેમનું પાદપીઠ પૂજ્ય છે એવા હે જિનેશ્વરદેવ ! તમારી સ્તુતિ કરવા યોગ્ય મારી બુદ્ધિ નહિ હોવા છતાં, હું મર્યાદાનું ભાન ભૂલીને, તમારી સ્તુતિ કરવા તત્પર બન્યો છું. પાણીમાં પડેલું ચંદ્રનું પ્રતિબિમ્બ વગર વિચાર્યું પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજો કોણ કરે ?” વિવેચન : ગાથા૩ શ્રી માનતુંગસૂરિજી સ્તોત્રરચનાનો સંકલ્પ કરી ચૂક્યા છે. હવે પ્રભુને સીધું સંબોધન કરે છે. પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ અહીંથી શરૂ થાય છે. આચાર્યજી દેવના બુદ્ધિ-સામર્થ્યની સામે પોતાનું બુદ્ધિ-સામર્થ્ય કેટલું છે તેની સરખામણી કરે છે અને બાળકના ઉદાહરણ દ્વારા સમજાવે છે સૂરિજી પ્રભુને કહે છે કે મહાશક્તિશાળી દેવો પણ સર્વ સાથે મળીને તમારી પાદપીઠની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. એટલે કે પ્રભુના પગ રાખવાનું આસન દેવો વડે પુજાયું છે. તેઓ એકલા ભક્તિ કે પૂજા કરતાં નથી. પરંતુ સર્વ દેવો સાથે મળીને પ્રભુની ભક્તિ કે પૂજા કરે છે. તમારા ગુણોને વર્ણવવા માટે તો સૌધર્મેન્દ્ર, બાર અંગોના જાણકારની બુદ્ધિ પણ ઓછી પડે. તમારી સ્તુતિ મારે શી રીતે કરવી ? તે માટે જેવી બુદ્ધિ જોઈએ તે મારામાં નથી. હું તો સાવ મતિહીન ઉત્તમ બળબુદ્ધિથી રહિત છું. શક્તિ વિના કોઈ પણ કાર્ય કરવા તત્પર થઈએ તો તે કાર્ય છોડી દેવું પડે છે. અને હાસ્યાસ્પદ થવાનો વખત આવે છે. જે કાર્યમાં આપણી બુદ્ધિ કે શક્તિ ન પહોંચતી હોય તેવું કાર્ય ન કરવું જોઈએ. પરંતુ પ્રભુ આપની સ્તુતિ કરવાનો ઉત્સાહ મારામાં એટલો તીવ્ર બન્યો છે કે યોગ્ય પ્રતિભા ન હોવા છતાં સર્વ લજ્જાઓનો ત્યાગ કરીને આપની સ્તુતિ કરવા પ્રવૃત્ત બન્યો છું. હું તો દેવતાઓની અપેક્ષાએ સાવ મતિહીન – ઉત્તમ શક્તિઓથી રહિત છું. છતાં આપની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું. તેમાં આપના પ્રત્યેની અનન્ય ભક્તિ જ મુખ્ય નિમિત્ત છે. મારી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy