________________
શ્રી ભક્તામર સ્તોત્ર માટે પુણ્ય પ્રકાશનો પ્રદ્યોત કરનાર છો. આપનો ઉપદેશ આલંબનરૂપ છે. આપ પાપ-અંધકારનો નાશ કરનારા છો. ને ધર્મની પ્રાપ્તિ કરાવીને ભવસમુદ્રથી તારનાર છો. ઇન્દ્ર જેવા ભક્તદેવો આપની સ્તુતિ કરે છે. તેમ હું પણ મારી અલ્પબુદ્ધિ અનુસાર આપની સ્તુતિ કરીશ. એમ કહી પ્રભુના ચરણયુગલમાં નમસ્કાર કરે છે. પ્રભુના શરણમાં જાય છે. જે પ્રભુશરણે આવેલા જીવને પોતા સ્વરૂપે બનાવવા શક્તિશાળી છે. તે પ્રભુની સ્તુતિ એવાં જ ઉત્કૃષ્ટ ભાવથી ક૨વામાં આવે તો જ સાચી સાર્થકતા છે. સાચી સાર્થકતાના લક્ષને કારણે પ્રભુમય બની સૂરિજીએ સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો.
સ્તુતિ કરતાં કહે છે કે પ્રભુની સ્તુતિ દ્વારા ભવનાં બંધનોનો નાશ થાય છે. પ્રભુસ્તુતિ ભવમાં ડૂબતા જીવના તરવા માટે પણ પુણ્ય પ્રકાશરૂપી ઉદ્યોત છે.
183
માનતુંગસૂરિએ આ સ્તુતિમાં પ્રભુના અનંત ગુણોનું વર્ણન કર્યું છે. આમ તો આ સ્તુતિ શ્રી આદિનાથ ભગવાનને પ્રથમમ્ જિનેન્દ્રને ઉલ્લેખીને ક૨વામાં આવી છે. પરંતુ બધાં જ તીર્થંકરોની સ્તુતિ-સ્તવના આ સ્તોત્રમાં કરવામાં આવી છે. એક તીર્થંકર વધારે પ્રભાવશાળી, શક્તિશાળી અને બીજા તીર્થંકરો ઓછા પ્રભાવશાળી એ માન્યતાને જૈન ધર્મમાં સ્થાન નથી. એટલે એક તીર્થંકરની સ્તુતિ સ્તવનામાં અનંતા તીર્થંકરોની સ્તુતિ-સ્તવના સમાઈ જાય છે.
ભક્તામરના પ્રથમ શ્લોકમાં તીર્થંકરના ૩૪ અતિશયોમાંથી ચાર અતિશયો સૂચવાયેલા છે. ચોત્રીશ અતિશયોમાંથી ચાર અતિશયોને સારભૂત માનવામાં આવ્યા છે : (૧) પૂજાતિશય (૨) અપાયાપગમાતિશય (૩) વચનાતિશય (૪) જ્ઞાનાતિશય.
સર્વેથી પુજાવું તે પૂજાતિશય છે.
સર્વે અપાયો એટલે ઇતિભીતિનો નાશ થયો તે અપાયાપગમાતિશય છે.
પાંત્રીશ પ્રકારના ગુણવાળી વાણી એ વચનાતિશય છે.
સર્વજ્ઞાતા એ જ્ઞાનાતિશય છે.
આ ચાર અતિશયોને પ્રથમ શ્લોકમાં આ પ્રમાણે સૂચવાયેલા છે.
(૧) ‘મવત્તામર પ્રાત મૌનિ મળિ પ્રમાનાં મુદ્યોત' એ પદો વડે પૂજાતિશયનું સૂચન છે. (૨) ‘વનિત પાપ તમો વિતાનામ્' એ પદ વડે અપાયાપગમાતિશયનું સૂચન છે. કારણ કે અપાય એ પાપનું જ પરિણામ છે.
(૩) ‘આનંદ્દન મવખતે પતતાં બનાનામ્' એ પદો વડે વચનાતિશય અને જ્ઞાનાતિશયનું સૂચન છે. કારણ કે જ્ઞાની અને સાક્ય જ ભક્તજનોને આલંબનરૂપ બની શકે છે.