SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 168 ભક્તામર સુભ્ય નમઃ | પોતાના કપાયેલા હાથપગ ફરી જોડડ્યા અને કવિ માઘે સૂર્યની ઉપાસના કરીને પોતાને થયેલા કુષ્ઠરોગમાંથી મુક્તિ મેળવ્યાનું જણાવ્યું છે. તઉપરાંત મહાન કવિ ભારવિએ અમ્બિકાની આરાધના કરીને પોતાનો ભગંદર રોગ દૂર કર્યો હતો. રાજસભામાં શ્રી માનતુંગસૂરિને બોલાવનાર મંત્રીનું નામ મહિસાગર આપવામાં આવ્યું છે. ૪૮ સાંકળોના બંધનથી બંધાયેલા સૂરિજીને એકની અંદર એક તાળાંબંધ ૪૮ ઓરડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભટ્ટારક વિશ્વભૂષણ રચિત ભક્તામર ચરિત'માં રાજાનું નામ ભોજ જણાવ્યું છે. ઘટનાસ્થળ તરીકે ધારાનગરી અને સમકાલીન કવિઓ તરીકે કાલિદાસ, ધનંજય, શુભચન્દ્ર, વરરુચિ દર્શાવવામાં આવ્યાં છે. મહાકવિ ધનંજયના ગુરુ તરીકે કર્ણાટક નિવાસી દિગમ્બરાચાર્ય માનતુંગને વર્ણવ્યા છે. બંધન અવસ્થામાં ૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રની રચના માનતુંગસૂરિએ કરી અને તેના ફળસ્વરૂપે તેઓ બંધનમાંથી મુક્ત થયાની ચમત્કારપૂર્ણ ઘટના વર્ણવવામાં આવી છે. પ્રભાચન્દ્રાચાર્ય રચિત પ્રભાવક ચરિત', મેરૂતુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણિ', ગુણાકરસૂરિ રચિત ભક્તામર સ્તોત્ર વૃત્તિ, પુરાતન પ્રબોધ સંગ્રહ, બ્રહ્મરાયમલ્લ રચિત “ભક્તામર વૃત્તિ', ભટ્ટારક વિશ્વભૂષણ રચિત “ભક્તામર ચરિત', “વીરવંશાવલિ'માં વર્ણવવામાં આવેલી કથા અને શ્રાવક ભીમસિંહ માણેકે રજૂ કરેલી ભક્તામર સ્તોત્ર' ઉત્પત્તિની કથામાં રાજા, ઘટનાસ્થળ અને સમકાલીન કવિઓ તાળાં કે બંધનોને આધારે શ્લોકોની સંખ્યા વિશેના વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે તે જણાઈ આવે છે. પરંતુ આ સર્વ વિદ્વાનો એક વાત સાથે સંમત થાય છે કે “ભક્તામર સ્તોત્ર'ની રચના શ્રી માનતુંગસૂરિજી મહારાજસાહેબે બંધનાવસ્થામાં કરી હતી. આ સ્તોત્રની રચના દ્વારા તેમના પર જે કારાવાસનું સંકટ હતું તેમાંથી મુક્ત થયા હતા. પાદટીપ પ્રભાવકચરિતમાનતુંગસૂરિ ચરિતમ્. પ્રભાચન્દ્રસૂરિ, પૃ. ૧૧૨-૧૧૭ Foreword : Heman Jackobi, P. VII, ભક્તામર, કલ્યાણમંદિર, નમિઊણ સ્તોત્રત્રયમ્', હીરાલાલ કાપડિયા ૩. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ. ૯૪ ૪. “ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૬૫ ૫. “ભક્તામરભારતી', જ્યોતિ પ્રસાદ જૈન, પૃ. ૩૮ 'Jainism of the History of Ancient India', ડૉ. જ્યોતિપ્રસાદ જેન, પૃ. ૧૬૯ શ્રી માનતુંગાચાર્ય વિરચિત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર', શ્રાવક ભીમસિંહ માણેક, પૃ. ૧૬૫ ૮. પ્રભાવક ચરિત . માનતુંગસૂરિ ચરિતમ્, પ્રભાચન્દ્રસૂરિ, પૃ ૧૧૬ ૯. “ભક્તામર સ્તોત્રવૃત્તિ', બ્રહ્મ રાયમલ્લ ૧૦. “ભક્તામર', ભૂમિકા, પંડિત નાથુરામ પ્રેમી ૧૧. વીરવંશાવલી', પૃ. ૧૮.૧૯ ૨. For
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy