SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ભક્તામર તુલ્યું નમઃ ।। જ્યારે ‘સ્વયંમ સ્તોત્ર’માં શ્રી પદ્મપ્રભુને ઉદ્દેશીને લખાયેલા શ્લોકમાં નભસ્થાનમાં સહસ્રપાંખડીવાળા કમળના મધ્યભાગમાં ચરણ રાખતાં જિનેશ્વરદેવના વિહારનો તેઓએ ઉલ્લેખ કર્યો છે જે શ્લોક આ પ્રમાણે છે : "नभस्तलं 150 पल्लवयन्निवं गर्भचारेः I सहस्रपत्राऽम्बुज पादाऽम्बुजै पातित - भार दर्पो भूमौ पुजानां विजहर्य · त्वं - भृत्यै ? || (‘સ્વયંમ્ સ્તોત્ર’, ૨૯) ઈ. સ. પાંચમી સદીના પૂર્વાર્ધમાં થયેલા શ્રી સિદ્ધસેન દિવાકરની રચનાઓથી માનતુંગસૂરિ પરિચિત રહ્યા હશે. એવો થોડાક ખ્યાલ તે બંનેની રચનાઓમાં ક્યાંક ક્યાંક શબ્દની સમાનતાને લીધે લાગે છે. ઉદાહરણ માટે સિદ્ધસેન દિવાક૨ની જુદી જુદી ‘દ્વાત્રિંશિકા’ અને માનતુંગસૂરિના ‘ભક્તામર સ્તોત્ર'ને જોઈ શકાય. त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् । ('ભક્તામર સ્તોત્ર - ૩૬') त्वन्नाम संकीर्तन पूतयतनः । (પંચમહાત્રિંશિકા, ૧ (૪)) અન્ય પ્રાચીન મુનિઓના સ્તુતિ-સ્તવનમાં આવા શબ્દોનો પ્રયોગ જોવા મળતો નથી. અહીં બંનેના નામ જીર્તન' અને એના પ્રભાવની વાત કહી છે જે પ્રાચીનતમ ભક્તિમાર્ગ તરફ નિર્દેશ કરે છે. ભક્તામરના ૧૫મા શ્લોકના પ્રથમ ચરણના પ્રારંભના “વિત્ર મિત્ર પવિ તે ત્રિવશાંનામિ' જેવા પદ-ખંડ સિદ્ધસેનની બે દ્વાત્રિંશિકામાં જોવા મળે છે. “વિત્ર મિત્ર વિ તે ત્રિશાંનામિ..... '' (મવત્તામર સ્તોત્ર, ૫) " चित्रं किमत्र यदि निर्वचनं विषाय ।" (દ્વિતીય દ્વાત્રિંશિા, ૮) "चित्रं किमत्र यदि तस्थ तवैप राजन्” (એાવશદ્વાત્રિંશિષ્ઠા, ૧૧) શબ્દની સમાનતાની સાથે સાથે બીજી પણ એક વાત આ બંનેમાં સમાનતાનો નિર્દેશ કરે છે કે સિદ્ધસેનની દ્વિતીય દ્વાત્રિંશિકા અને એકાદશ દ્વાત્રિંશિકા બંનેના ભક્તામર સ્તોત્ર સાથે સંબંધકર્તા શ્લોકો વસંતતિલકા છંદમાં રચાયેલા છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy