SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 138 ।। ભક્તામર તુર્થ્ય નમઃ । ગુપ્તકાલ તથા મધ્યકાલનાં શ્વેતામ્બર સ્તવનો તથા થોડાંક સૈદ્ધાંતિક સમુચ્ચય સ્વરૂપ ગ્રંથરચનાઓમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં આ અષ્ટ મહાભયનું સતત સાતત્ય રહ્યું છે જ્યારે દિગમ્બર સંપ્રદાયના સ્તુત્યાત્મક સાહિત્ય કે અન્ય ગ્રંથમાં આની ઉપસ્થિતિ નથી જોવામાં આવતી. ઉદાહરણરૂપે કુમુદચંદ્રની સામે ભક્તામર સ્તોત્ર' રહ્યું હતું. છતાં પણ તેમણે ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ કે તેમની રચનાઓમાં અષ્ટમહાભય વિષયક પદ્યની રચના નથી કરી. તેનું કારણ એ કે દિગમ્બર સંપ્રદાયમાં આ પ્રકારની પરંપરા જ ન હતી. ‘ભક્તામર સ્તોત્ર'માં અષ્ટ મહાપ્રતિહાર્યોમાંથી જે ચાર પ્રતિહાર્યોનું વર્ણન ચાર શ્લોકમાં કરવામાં આવ્યું છે તે અષ્ટ મહાપ્રતિહાર્યોને લઈને નહીં પરંતુ આગમમાં બતાવેલા ૩૪ અતિશયોમાંથી પસંદ કરીને ચાર દશ્યમાન વિભૂતિઓ અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર જે તીર્થંકરોની દેશનાના સમયે પ્રત્યક્ષ બનતી હતી એનું જ વર્ણન છે. આ પરંપરા ૬ઠ્ઠી - ૭મી સદીના શ્વેતામ્બર આગમમાં આપેલી વ્યાખ્યાઓ અને કથાત્મક સાહિત્યમાં પણ જોવા મળે છે. સમવાયાંગ સૂત્રમાં નાગેન્દ્રવંશીય વિમલસૂરિષ્કૃત પઉમચરિયમાં આવશ્યક નિર્યુક્તિ, સંઘદાસ, ગણિકૃત, વસુદેવ જિનભદ્રગણિ, ક્ષમાક્ષમણકૃત, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યકચૂર્ણિ વગેરેમાં દેવકૃત ચોત્રીશ અતિશયમાંથી દશ્યમાન અતિશય તરીકે આ ચાર મહાપ્રતિહાર્યોને લઈને પઘની રચના કરી છે. અને આ તથ્યના આધારે ભક્તામરમાં તીર્થંકરની વિભૂતિનું વર્ણન કરવાવાળાં ચાર જ પઘો રચાયેલાં છે. જ્યારે દિગમ્બર પરંપરામાં ૩૪ અતિશયોમાં આનો સમાવેશ થયો નથી. પરંતુ અષ્ટ મહાપ્રતિહાર્યોમાં તે સમવિષ્ટ છે તેથી જ તેઓની દૃષ્ટિએ બાકી રહી જતા ચાર પ્રતિહાર્યોનું સ્તોત્રમાં હોવું આવશ્યક સમજતા હશે, તેથી અતિરિક્ત ચાર પદ્યોની રચના થઈ હશે. અષ્ટ મહાપ્રતિહાર્યોમાંથી ચામર પ્રતિહાર્યના સંબંધમાં દિગમ્બર માન્યતામાં ચામરો બે કે તેનાથી અધિકની સંખ્યા માનવામાં આવે છે. “તિલોયન્તી’માં ચતુષ્ટ ચામર, જિનસેન આદિ પુરાણમાં ચામરાલી, ચામર પંક્તિની તથા ૬૪ ચામરોની વાત કહેવામાં આવી છે. કુમુદચંદ્રએ તો ચામરોના ‘ઓઘ’ સમૂહની વાત કરી છે જ્યારે ‘ભક્તામર સ્તોત્ર'માં ચામરની સંખ્યાનો કોઈ ઉલ્લેખ ન હોવાથી ત્યાં ‘ચામર યુગ્મ’ માનવું યોગ્ય રહેશે. દિગમ્બરોમાં બે ચામરોની માન્યતાવાળી પરંપરા નથી. ત્યારે સ્તોત્રકાર સૂરિજી શ્વેતામ્બર પરંપરાનું અનુકરણ કરતાં હોય તેવું લાગે છે. તેથી જ તેમણે ચામરની સંખ્યા તરફ ઇશારો કર્યો નથી. ન ૩૪ અતિશયોમાંથી ચાર પ્રતિહાર્યોનાં વર્ણન પછી સ્તોત્રકાર સૂરિજીએ સ્તોત્રના ૩૨માં અને દિગમ્બર સંપ્રદાયના પાઠમાં ૩૬મા શ્લોકમાં શ્રી જિનેશ્વરદેવોના કમલ વિહારનું વર્ણન કર્યું છે. દિગમ્બર સંપ્રદાયમાં લગભગ ઈ. સ. ૫૫૦માં રચાયેલા 'તિલોયપળતિ'માં લગભગ ૬૦૦માં સમન્તભદ્રકૃત ‘આપ્ત મીમાંસા', ધૃવ સ્વયમ્મુ સ્તોત્ર' વગેરે પ્રમાણમાં પ્રાચીન રચનાઓમાં જિનેશ્વરદેવ નભોવિહાર કરતાં હોવાનું બતાવ્યું છે. સ્વયંભૂ-સ્તોત્રમાં પદ્મપ્રભુની સ્તુતિમાં સમન્તભદ્રએ કમલવિહાર અને નભોવિહાર બંને પ્રકારના વિહારને સંદર્ભોનુસાર એક જ પદ્યમાં વર્ણવ્યા છે. જ્યારે ભક્તામર સ્તોત્રમાં ‘નભો વિહાર’નો ઉલ્લેખ સૂરિજીએ કર્યો નથી. જો સ્તોત્રકાર
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy