SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 132 | ભક્તામર તુલ્યુ નમઃ માત્રામાં રચાયેલી જોવા મળે છે. શ્વેતામ્બર રચનાઓ દિગમ્બર રચનાઓથી પ્રાચીન પણ છે. વૃત્તાંતરૂપ સાહિત્ય ૧૩મી, ૧૪મી સદીથી પ્રાચીનતમ નથી. ઉદાહરણ તરીકે ઈ. સ. ૧૩૭૦ની શ્રી ગુણાકરસૂરિની ટીકાઓ સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તથા પાદપૂર્તિરૂપ કાવ્યો પણ ૧૬મી સદીથી પ્રાચીન નથી. આવા મુદ્દાઓ પરથી શ્રી માનતુંગસૂરિ શ્વેતામ્બર સંપ્રદાયના હતા એવું નિશ્ચયપૂર્વક કહેવા માટે કોઈ ચોક્કસ પ્રમાણ ન ગણી શકાય. શ્વેતામ્બર ગ્રંથ ભંડારોમાંથી ભક્તામર સ્તોત્ર'ની અતિપ્રાચીન હસ્તપ્રતો મળી આવી છે. તેના પરથી એમ ન કહી શકાય કે તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના હતા. આ એક આકસ્મિક ઘટના પણ હોઈ શકે. એવું પણ બની શકે છે કે દિગમ્બર કે અન્ય ધર્મની પછી તે બોદ્ધ ધર્મ કે અન્ય હિન્દુ ધર્મની રચનાઓ શ્વેતામ્બર ગ્રંથભંડારોમાંથી મળી જવાથી અથવા તો તે રચના પ્રચારમાં હોવાને કારણે તેના રચનાકારને શ્વેતામ્બર ન માની શકાય. શ્રી માનતુંગસૂરિની અન્ય એક રચના ભયહર સ્તોત્ર' (નમિઊણ) માત્ર શ્વેતામ્બર સંપ્રદાયમાં જ પ્રાપ્ત થાય છે અને તેના પર લખાયેલું અન્ય સાહિત્ય પણ ત્યાં જ પ્રાપ્ત થાય છે. પરંતુ તે પણ સંપ્રદાયનો નિર્ણય કરવા માટે પૂરતી સામગ્રી નથી. પટ્ટાવલી તરફ દૃષ્ટિ કરતાં જાણવા મળે છે કે પ્રાચીન તથા મધ્યકાલીન દિગમ્બર પટ્ટાવલીઓમાં શ્રી માનતંગસૂરિના નામનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયની પટ્ટાવલીઓમાં અને બીજી રચનાઓમાં એમનું નામ જોવા મળે છે. દિગમ્બર પ્રાચીન પટ્ટાવલીઓ જેવી કે ઈ. સ. ૧૦૦થી ૫૦૩ સુધીના પર્યુષણા કલ્પની સ્થવિરાવલી', લગભગ ઈ. સ. પાંચમી સદીના મધ્યભાગમાં થયેલા દેવવાચક કૃતિ નંદીસૂત્રની સ્થવિરાવલી’ અને લગભગ ૧૨મી સદીના પૂર્વાર્ધમાં થયેલા અજિતસિંહસૂરિની પટ્ટાવલી કે જે ઉપરની બંનેની સ્થવિરાવલીનાં કથનોને સમાન રૂપે રાખવાવાળી છે – તેમાં માનતુંગનું નામ ક્યાંય મળતું નથી. તેનું કારણ એક હોઈ શકે કે જો માનતુંગ ઔદીચ્ય પરંપરામાં થઈ ગયા હોય તો પાંચમી સદી પછી થયા હશે. આ જ કારણે નંદીસૂત્રના વાંચન કરવાવાળાની નામાવલીમાં અને વજ શાખામાં થઈ ગયેલા આચાર્યોની પરંપરામાં સ્થાન મેળવવાનું શક્ય ન હતું. લગભગ ઈ. સ. ૧૨૫૦-૧૨૭૫ની વચ્ચે તપાગચ્છીય ધર્મઘોષસૂરિનું દુઃષમકાલ શ્રમણ સંઘ સ્તવ અને અચલગચ્છીય ધર્મઘોષસૂરિનું માનવામાં આવતું ઋષિમંડલ સ્તવનમાં ઈ. સ. પૂર્વે ૩જી સદીના આર્ય મહાગિરિ સુધીનાં નામ ક્રમાનુસાર આપવામાં આવ્યાં છે. પરંતુ પર્યુષણકલ્પ અને નંદીસૂત્રની વિરાવલીઓ અને આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં મળી આવતા રેવતિમિત્ર, સત્યમિત્ર, આર્યરક્ષિત, આયનામહસ્તિ અને તેમના પછીના લગભગ ઈ. સ. ૪૭૫-૨૨૯માં થયેલા વાચક હરિગુપ્ત લગભગ ઈ. સ. ૫૪૫-૫૯૪માં થયેલા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવા નામનો ઉલ્લેખ થયો છે. પરંતુ ત્યાં ક્યાંય માનતુંગાચાર્યનું નામ જોવા મળતું નથી. શ્રી માનતુંગસૂરિના સમયકાળ અને એમના માનવામાં આવેલ ગુરુ શ્રી માનદેવસૂરિનો સર્વપ્રથમ ઉલ્લેખ પ્રભાવક ચરિત' પછી રુદ્રપલ્લીય શ્રી ગુણાકરસૂરિની ઈ. સ. ૧૩૭૦માં રચાયેલી ભક્તામર વૃત્તિ અને ઈ. સ. ૧૫મી સદીના પૂર્વાર્ધથી લઈને ૧૭.૧૮મી સદીની તપાગચ્છીયા
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy