SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર વર્તમાન ચોવીશીમાં મોક્ષે ગયેલા આત્માઓની ટૂંધ ૮૨૫ ૨૮ શ્રી શૈલકમુનિ - ૫૦૦ મુનિ સાથે આ ગિરિપર નિર્વાણપદને પામ્યા. ર૯ આ સિવાય ભરતના પુત્ર-બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન - દેવકીના છ પુત્રો – જાતિ – મયાલિ અને ઉવયાલિ – સુવ્રત શોઠ – કંડક મુનિ - આનંદ ઋષિ – સાતનાદ –અંધક વૃણિ = ધારણી તેમજ તેના અઢાર પુત્રો. સુકોશલ મુનિ – અઈમુત્તા મુનિ વગેરે અનંતાનંત આત્માઓ આ ગિરિરાજ પર નિર્વાણપદને પામ્યા હતા. શ્રી શત્રુંજય પર - મોક્ષે ગયેલાની નોંધ (મોક્ષે ગયેલા આ જીવોની જાણ માટે શ્રી શત્રુંજય લ્પમાં આવતી ર૧- નામોની – ર૧-કથાઓનું ભાષાન્તર અવશ્ય વાંચવું જ જોઈએ તો જ તેનો સાચો ખ્યાલ આવશે.) ૧ સૂર નામના રાજા કેવલજ્ઞાન પામી ત્રણ હજાર સાધુઓ સાથે શ્રી વિમલગિરિ નામના પર્વત પર મોશે ગયા. ૨ વીરસેન નામના રાજાએ દીક્ષા લઈ વિમલાચલ તીર્થમાં આવી. ધ્યાન કરતાં ક્વલજ્ઞાન મેળવ્યું અને પછી સર્વકર્મના ક્ષયથી ઘણા સાધુઓ સાથે નિર્વાણપદ = મોક્ષને પામ્યા. - ૩ શ્રી રાજા-શુક્યતીશ્વર ર૦.../ રાજાઓ સાથે અભિનંદન સ્વામીના સમયમાં દીક્ષા લઈ શ્રી શત્રુંજ્ય પર આવી એક ોડ સાધુઓ સાથે શ્રી શત્રુંજય ગિરિપર મોક્ષે ગયા હતા. ૪ શ્રી દૃથ્વીર્ય રાજા સંઘ લઈને શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવેલા ત્યારે તેમના સંઘમાં રહેલાં સાત બ્રેડ સ્ત્રી અને પુરુષોને વલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને તેઓ મોક્ષે ગયાં હતાં. દંડવીર્ય રાજા પણ પાછલથી શ્રી શત્રુંજય તીર્થપર આવીને મોક્ષે ગયા હતા. ૫ ધર્મઘોષ નામના ગુરુ મહારાજ બે કરોડસાધુઓની સાથે ત્યાં રહેલા ક્વલજ્ઞાન પામ્યા. અને પછી થોડાક જ દિવસમાં તેમુનિઓની સાથે મોક્ષે જતાં જોઈને રાજાએ તે તીર્થનું નામ સિદ્ધોખર એવું પાડ્યું ત્યારે ત્યાં રહેલા રાજાને દયમાં ભાવના ભાવતાં ક્વલજ્ઞાન થયું અને સર્વકર્મના લયથી મોશે પણ ગયા.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy