SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જેને ગીતા સંબંધ ૨૮૩ આ પ્રમાણે સાંભળીને નગરના લોકોએ તેવી રીતે તે સાધુનો અનાદર કર્યો કે જેથી સર્વશના મતમાં તિરસ્કાર થાય. પોતાના વિષે આપવું જાણીને સાધુએ આ પ્રમાણે અભિગ્રહ લીધો કે જેણે મને ફોગટ ક્લંકની કાલિમા આપી છે. તે પુરુષ અથવા સ્ત્રીના શરીરમાં વિદ્ધ થાઓ. અને જો હું ક્લંકી હોઉતો મારું શરીર ભસ્મ થાઓ. ક્રો આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે સાધુ કાયોત્સર્ગમાં ઊભા રહ્યાં. શાસન દેવીએ આવીને વેગવતિનું મુખ વાંકું ક્યું. અને શાસનદેવીએ કહ્યું કે – વેગવતિ સ્ત્રીએ સાધુને મોટું ક્લંક આપ્યું છે. તેથી તેનું મરણ થશે. તે પછી અતિપીડા પામેલી વેગવતિ સાધુની પાસે આવીને નમસ્કાર કરી બોલી મેં આ મુનિને ખોટું લંક આપ્યું છે. કે હમણાં હું ભાગ્યરહિતોમાં શિરોમણિ છું. જે કારણથી તે વખતે સાધુને મોટું ક્લંક આપ્યું છે. તે પછી સાજી થયેલી વેગવતિએ તે સાધુની પાસે જિનેશ્વરે કહેલો ધર્મ હર્ષવડે સ્વીકાર્યો. તે પછી જિનેશ્વરના શાસનની પ્રભાવના થઈ. જિનેશ્વરનાં ચરણોની પૂજા કરતી વેગવતિ ધર્મ કરવા લાગી. વેગવતિનારૂપને જોઈને તે વખતે સ્વયંભૂરાજાએ તેના પિતા પાસે પાણિગ્રહણ માટે માંગણી કરી. ક શ્રીભૂતિએ કહ્યું કે આ પોતાની પુત્રી વેગવતિ મિથ્યાત્વીને હું આપીશ નહિં. પરંતુ સુઝાવને આપીશ. સ્વયંભૂરાજાએ શ્રીભૂતિને મારી નાંખીને રોતી એવી તેની પુત્રીને ભોગસુખ માટે બલાત્કારથી પોતાના ઘેર લઈ ગયો. તે વખતે વેગવતિએ કહ્યું કે મારાપિતાને મારી તું મને લાવ્યો છે. તેથી હું પરલોકમાં તારા મૃત્યુ માટે થઈશ. વેગવતિ સતીએ બળાત્કારે તે વખતે પોતાને બેડાવીને દીક્ષા લઈ બારપ્રકારે તીવ્રતા હર્ષવડે કરવા લાગી. અંતે આરાધના–ક્રિયા કરી વેગવતિ મારી બીજી દેવલોકમાં દિવ્યરૂપ ધારણ કરનારી દેવી થઈ. તે વખતે મિથ્યાત્વથી ભાવિત ચિત્તવાળો સ્વયંભૂરાજા મરણ પામી ઘણાં દુ:ખને આપનારી પ્રથમ નરકમાં ગયો. ત્યાંથી નીકળીને ઘણા ભવો સુધી અનુક્રમે તિર્યંચના ભવો પામી સ્વયંભૂરાજાએ ઘણાં કર્મો ખપાવ્યાં. ક કર્મનો ઉપશમ થવાથી તે સ્વયંભૂનો જીવ લક્ષ્મીપુર નગરમાં કુશ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની પ્રિયાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે પુત્ર ઉત્પન્ન થયો ત્યારે બ્રાહ્મણે જન્મોત્સવ કરી સજજનોની સાક્ષીએ તેનું પ્રસાભકુંદ એ પ્રમાણે નામ આપ્યું. અનુક્રમે વૃદ્ધિપામતા યૌવનપામેલા ને વિરાગવાળા પ્રભાસદે સાધુ પાસે દીક્ષા લીધી. * હંમેશા હર્ષવડે 8 અઠ્ઠમ આદિ તપ કરતા તે પ્રભાસનામના સાધુએ શરીરને સૂકવી નાંખ્યું ક એક વખત તે સાધુ વિદ્યાધરની સંપત્તિ જોઈ આ પ્રમાણે નિયાણું કર્યું કે- હું ખેચરોનો સ્વામી થાઉં. તે સાધુએ તપને વેચવાથી સંયમરૂપમણિ ફોગટ તજી દીધો. ને દુ:ખને આપનાર શોકરૂપી મુષ્ઠિ ગ્રહણ કરી. કપૂરને છોડીને તે મૂર્ખ કોદરાને વાડકરે છે. રત્નના ચૂરેચૂરા કરીને વિશેષતા રહિત એવા તે ઘેરાને ગ્રહણ કરે છે. ક ગોશીષચંદનને બાળીને મૂર્ખ એવો તે રાખને ગ્રહણ કરે છે. જે ભયંકર તપ કરીને નિયાણા સહિત મરણવડે મરે છે. 5 હવે તે પ્રભાસકુંદ નિયાણાવડે પુયરહિત થયેલો મરીને ત્રીજાદેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયો. D ત્યાંથી અવીને રત્નશ્રવા વિદ્યાધરનો પુત્ર ત્રણખંડનો અધિપતિ ઘણા વિદ્યાધરો વડે સેવાયેલો રાવણ થયો. 5 શ્રીકાંતનો જીવ અનુક્રમે ઘણા ભવો ભમીને લંકાનો નાયક શ્રેષ્ઠ પરાક્રમવાલો રાવણ થયો. 5 અને બ્રહ્મદેવલોકમાંથી ચ્યવીને ધનદત્તનો જીવ (રાઘવ) દશરથનો મોટો પુત્ર દશરથિ – રામ થયો. – વસુદાનો જીવ મરીને શ્રીભૂતિ પુરોહિત હતો તે દશરથનો બીજો પુત્ર લક્ષ્મણ થયો. ક કહ્યું છે કે જે શ્રીભૂતિ વેગવતિમાટે સ્વયંભૂરાજાવડે વધ કરાયો હતો. તે ધર્મનાફલવડે શ્રેષ્ઠ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy