SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વહક સ્વાધીન એટલે શું? હમણાં હમણાં આપણા સમાજમાં પણ પુસ્તકે – તો ભાષાંતર વગેરેનાં છપાતાં પુસ્તમાં “ સર્વ હકક સ્વાધીન " આ વાક્ય ખાસ લખવાની પ્રણાલિકા ચાલુ છે. તેના માટે ખાસ વિચારવા જેવું છે. ૦ એક વાત જૈન ધર્મ જ્વળજ્ઞાન સિવાય બધાને અધૂરું જ માને છે. એથી જ્યાં સુધી આપણને તેવું કોઈ વિશિષ્ટજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે સહુ અધૂરા જ છીએ. પછી વિશિષ્ટજ્ઞાન વગર આપણે સ્વતંત્ર કેવું અને કેટલું લખી શક્વાના? ૦ આપણા વડીલ એવા મોટા મોટા જ્ઞાની પુણ્યોએ પણ અમુક અમુક પદાર્થોની ચર્ચા કરતાં છેવટે “તત્વ ક્વલી ગમ્ય " એમ કહી દીધું છે. ૦ ખુદ તીર્થકર ભગવંતો પણ ત્રણ જ્ઞાનના સ્વામી હોવા ક્યાં ક્વલજ્ઞાન ન થાય ત્યાં સુધી દીક્ષા અને શિક્ષા ઉપદેશ ન આપે. કારણ કે સંપૂર્ણ બન્યા વગર ભૂલ થવાની સંભાવના છે. ૦ આર્ય સુધર્મા સ્વામીએ પણ “સુમે આઉસં તેણે ભગવયા એવ મકખાય” હે આયુષ્યમાન જંબુ !ભગવંત વડે કરીને આ પ્રમાણે કહેવાયેલું મે સાંભળ્યું છે તેને હું છું. અહીં તેઓ ગણધર હોવા છતાં પોતાનું કાંઈ કહેતા નથી. ૦ એટલે આવા જ્ઞાનીઓ જો આમજ લખતા હોય તો ખરેખર અલ્પજ્ઞાની એવા આપણે સ્વતંત્ર – શું – લખી બોલી ને સર્જન કરી શક્વાના? આમાં તો આપણે હળદરના ગાંધેિ ગાંધી થવા જેવું જ કરીએ છીએ. કાયદાની દષ્ટિએ પણ સરકારમાં આપણે આપણા પુસ્તકને નોંધાવીને રાઈટ મેળવવો પડે છે. પછી જ સર્વહકક સ્વાધીન ” એમ લખી શકાય છે. માટે આ ગ્રંથમાં સર્વહકક જેવું કશું જ નથી. અને સહુને છપાવવા માટે ફેરફાર કર્યા વગર છપાવવાની છૂટ સાથે હાર્કિ આમંત્રણ પાઠવું છું. લિ. મહાભદ્ર સાગર
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy