SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ચિંતવેલ તપ થકી ઓછું તપ કરે, તો તેને પચ્ચક્ખાણનો ભંગ થાય કે નહિ ? ઉત્તર :— તેને પચ્ચક્ખાણનો ભંગ લાગે નહિ. ૨-૨૨૨ા પ્રશ્ન: નિયાણું બાંધ્યું હોય તો સીરત્ન થાય? કે બાંધ્યાં વિના પણ થાય? ઉત્તર :— સીરત્ન બંનેય પ્રકારે થાય. કેમકે આ બાબતે વિશેષ કહ્યું નથી.૨-૨૨૩ પ્રશ્ન: દેશવિરતિથી ચક્રીપદ પમાય કે નહિ? તેમજ ચક્રવર્તીને ગૃહસ્થણામાં દેશવિરતિ હોય ? કે નહિ ? ઉત્તર :—દેશવિરતિથી ચક્રીપદ મળે કે નહિ? તેવો નિશ્ચય જાણ્યો નથી, તેમજ ચક્રવતીઓને મહાપરિગ્રહ હોવાથી દેશવિરતિની પ્રાપ્તિ ન થાય.ર-૨૨૪ા પ્રશ્ન: ગણધરોની જુદી જુદી વાચના છે, છતાં તેઓને સાંભોગિકપણું હોય ? કે નહિ ? અને સામાચારી વિગેરેમાં ભેદ હોય ? કે નહિ ? (એક માંડલીએ આહાર કરવો વિગેરે બાબતોમાં એકપણું તે સંભોગ કહેવાય.) - ઉત્તર :— ગણધર મહારાજાઓને માંહોમાંહે વાચનાનો ભેદ હોવાથી સામાચારીનો પણ કાંઇક ભેદ સંભવે છે, અને તે ભેદ હોવાથી કાંઇક અસાંભોગિકપણું પણ સંભવે છે. ૫૨-૨૨૫ પ્રશ્ન: જિનલ્પીઓ તે જ ભવમાં મોક્ષે જાય? કે નહિ? જે ન જતા હોય? તો તેનું કારણ શું? ઉત્તર :— જિનકલ્પીઓ તે જ ભવમાં મોક્ષે જતા નથી. કેમકે - न करिंति आगमं ते, इत्थीवज्जो उ वेद इक्कतरो । पुव्वपडिवन्नओ पुण, होज सवेओ अवेओ वा ॥१॥ અપૂર્વ અધ્યયન કરતા નથી, પૂર્વ ભણેલ શ્રુતને તો ભૂલી ન જવાય માટે એકાગ્રમને રૂડી પ્રકારે સંભાર્યા કરે છે. અને તેઓને જિનકલ્પના સ્વીકાર વખતે સ્રી વેદને વર્જીને બેમાંથી એક વેદ-પુરુષવેદ અથવા અસંકિલષ્ટ નપુંસક વેદ હોય, અને જેણે પહેલાં સ્વીકાર કર્યો હોય, તે તો વેદવાળો હોય અથવા વેદ વિનાનો હોય, જિનલ્પીને તે જ ભવમાં કેવલજ્ઞાનનો નિષેધ છે, તેથી ઉપશમ શ્રેણીમાં વેદ દબાઈ જવાથી તેને અવેદિપણું હોય તે વાત બૃહત્કલ્પ ટીકામાં કહેલી છે કે
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy