SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે શક્તિ, શસ્ત્રવિશેષનું નામ છે. શક્તિસ્વરૂપ શસ્ત્રનો અગ્રભાગ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. અગ્નિ તેમ જ સર્પ અને સિંહનો ક્રોધ : આ બધા કરતાં પણ અધિક ખરાબ (ભયંકર) ગુરુની હલના છે, જે અનંત દુઃખનું કારણ છે-આ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં જણાવ્યું છે. શક્તિનો અગ્રભાગ કે અગ્નિ વગેરે દેવતાના પ્રભાવથી દુઃખનું કારણ ન પણ બને, અથવા એક ભવમાં જ દુઃખનું કારણ બને. પરંતુ ગુરુની હિલના તો આ ભવમાં અને પરભવમાં અવશ્ય અનંત દુઃખનું કારણ બન્યા વિના રહેતી નથી. તેથી તે શત્મગ્ર અને અગ્નિ વગેરે કરતાં અધિક ભયંકર છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૯-૧૧ વિનય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે પણ ગુરુને આધીન છે. તેમનો વિનય કઈ રીતે અવશ્ય કરવો જોઈએ તે જણાવાય છે पठेद् यस्याऽन्तिके धर्मपदान्यस्याऽपि सन्ततम् । कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥२९-१२॥ જેમની પાસે ધર્મપદોનો અભ્યાસ કરે, તેમનો
SR No.023233
Book TitleVinay Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy