SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પરંતુ કોઈ વાર ગચ્છની સારસંભાળ કરનાર કોઈ પણ રીતે પોતાની જવાબદારી વહન કરવા માટે સમર્થ ન રહે ત્યારે બીજા કોઈ ગીતાર્થ સંભાળી શકે એવા ન હોય અને જે સંભાળી શકે એવા હોય તે ગીતાર્થ-ભણેલા ન હોય, આવી સ્થિતિમાં શાસ્ત્ર નહીં ભણેલાને પણ ગુરુપદે સ્થાપન કરવા પડતા હોય છે. આવા ગુરુભગવંત ભણેલા નથી, પર્યાયમાં નાના છે અથવા નીચકુળમાંથી આવેલા છે. ઈત્યાદિ દોષોની અપેક્ષાએ તેમની હિલના ન કરવી જોઈએ. જો કોઈ તેઓશ્રીની હીલના કરે તો તે પોતાના ચારિત્રગુણોને ખલાસ કરે છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. જિજ્ઞાસુએ તેના જ્ઞાતાઓ પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ૨૯-૧૦ના પૂ. ગુરુદેવશ્રીની હીલનાને, તેના ભયંકર વિપાકને આશ્રયીને વર્ણવાય છે शक्त्यग्रज्वलनव्यालसिंहक्रोधातिशायिनी । મનન્ત,વજનની, ર્તિતા પુદીના રર-શા “શક્તિનો અગ્રભાગ, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ વધારે ભયંકર અનંતદુઃખને આપનારી ગુરુહિલના છે-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.'-આ પ્રમાણે
SR No.023233
Book TitleVinay Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy