SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ કરવી : એ કથાશ્રવણનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સિદ્ધિ કથાના પ્રરૂપક મહાત્માની થાના શ્રવણને આધીન છે. પ્રરૂપક પ્રજ્ઞાપક ન હોય તો પરિણામ કેવું આવે તે આપણે સમજી શકીએ છીએ. વક્તાનો અવબોધ જ શ્રોતાને અવબોધનું કારણ બનતો હોય છે. શ્રોતા તો અબુધ હોય છે પરંતુ તેને અવબુદ્ધ બનાવવાનું કાર્ય; પ્રજ્ઞાપક પ્રરૂપક કરે છે. આ પ્રજ્ઞાપકને આશ્રયીને આશયભેદે કથાઓ અથાદિ સ્વરૂપ બને છે. ૯-૨૧ પૂર્વે કથા અથા બને છે... આ પ્રમાણે જણાવ્યું. ત્યાં અકથાનું સ્વરૂપ જણાવાય છે - मिथ्यात्वं वेदयन् ब्रूते, लिङ्गस्थो वा गृहस्थितः । यत् साऽकथाशयोद्भूतेः, श्रोतुर्वक्त्रनुसारतः ॥९-२२॥ મિથ્યાત્વના ઉદયવાળો દ્રવ્યથી પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર અથવા ગૃહસ્થ જે કહે છે તે અક્યા છે. કારણ કે વક્તાના આશય મુજબ શ્રોતાને ભાવની પ્રાપ્તિ થાય છે.”આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વિપાક(રસ) વડે મિથ્યાત્વમોહનીયકર્મનો જે અનુભવ કરે છે તેવા દ્રવ્યથી જ પ્રવજ્યાને ધારણ કરનારા અગારમÉકાદિ આચાર્યજેવા અથવા ગૃહસ્થપણામાં રહેલા એવા કોઈ પણ જે કાંઈ બોલે છે તે અક્યા છે. કારણ કે GS// SONGS 192 KUM KGB/SOD
SR No.023214
Book TitleKatha Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy