SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વિકથા અને કથા સ્વરૂપે પરિણમે છે. પ્રજ્ઞાપકના ભાવવિશેષે એ વિશેષ છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં પ્રજ્ઞાપકને આશ્રયીને આ થાઓમાં અકથાદિનું પ્રાધાન્ય હોય છે : તે જણાવતાં ફરમાવ્યું છે કે-પ્રરૂપક એવા પ્રજ્ઞાપકને આશ્રયીને શ્રોતાવિશેષને પામીને આ કથાઓ અથા, વિકથા કે કથા સ્વરૂપ બને છે. આ ગાથામાં ‘પન્નવાપવા આવો પાઠ છે. ત્યાં પ્રજ્ઞાપક એવા પ્રરૂપક આવો અર્થ અભિપ્રેત છે. એ અર્થ કરવાથી અવબોધક એવા પ્રરૂપકનું ગ્રહણ થાય છે. ઘરેડ મુજબ બોલનાર વક્તાનો તેથી વ્યવચ્છેદ થાય છે. અરટ્ટના ભ્રમણની જેમ સમજણ વગર ચીલાચાલુ બોલનાર પ્રરૂપકની અહીં વિવક્ષા નથી. સમજદાર અને અવસરાદિના જાણકાર એવા પ્રજ્ઞાપકપ્રરૂપને આશ્રયીને શ્રોતાની વિશેષતાએ ઉપર જણાવેલી થાઓ અથાદિ બને છે. પન્નવાપવાં અહીં ઉપર જણાવ્યા મુજબ કર્મધારયસમાસની વિવક્ષા ન કરીએ અને ‘પ્રજ્ઞાપક અને પ્રરૂપક’-આ પ્રમાણે દ્વન્દ્વસમાસની વિવક્ષા કરીએ તો દ્વિત્વના વિષયમાં બહુવચનના પ્રયોગનો પ્રસંગ આવશે. જેથી ‘પન્નવાપ વશે' આવો પાઠ માનવાનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે પ્રરૂપક પ્રજ્ઞાપક હોવા જોઈએ. ધર્મકથાદિને કરનારા પ્રજ્ઞાપક ન હોય તો તેમના દ્વારા કરાતી થાના કારણે ઈષ્ટનો લાભ નહિ થાય. ધર્માદિની \ \ /DS ES ED Gu ૪૨ 鼎 港飲 &QUO
SR No.023214
Book TitleKatha Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy