SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલ્પ વિનાનો પિંડ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે પૂ.સાધુભગવન્તોને કે બીજા કોઈ અર્થીજનોને આપવાની ભાવના વિના ઘણા લોકો રાંધવાદિનો આરંભ કરતા હોય છે તેમ જ જે દેશમાં કે કાળમાં ભિલુકો ભિક્ષા માટે ફરતા જ નથી, એવા દેશમાં કે કાળમાં તે તે ગૃહસ્થો પોતાના માટે રાંધવાદિનો આરંભ કરતા હોય છે. એ બધાએ બનાવેલો પિંડ અસંકલ્પિત છે. તેથી ઘણી રીતે અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થઈ શકે છે. યદ્યપિ આ રીતે અસંકલ્પિત પિંડને પ્રાપ્ત કરવાનું અત્યન્ત દુષ્કર છે અને તેથી આવી દુષ્કરચર્યાનો ઉપદેશ કરનારા આપ્તની આપ્તતા રહેતી નથી. પરંતુ ખરેખર તો આવો નિરવઘ ભિક્ષાનો માર્ગ બતાવવાના કારણે જ આપ્તપુરુષની આપ્તતા સુરક્ષિત છે. આપ્ત પુરુષોએ યતિધર્મને અત્યન્ત દુષ્કર તરીકે વર્ણવ્યો છે. અત્યન્ત દુર્લભ એવા મોક્ષની પ્રત્યે અત્યન્ત દુષ્કર જ એવો ધર્મ કારણ છે. કાર્યને અનુરૂપ જ કારણ હોય છે અને આવા અનુરૂપ કાર્યકારણભાવના પ્રણેતા ચોક્કસ જ આપ્ત પુરુષ છે. તેથી તેઓશ્રીમાં અનાખતા માનવાનો પ્રસંગ આવતો નથી. //૬-૧૮ના મન, વચન અને કાયાથી શુદ્ધ એવા સાધુભગવન્તો સંકલ્પિત પિંડ ગ્રહણ કરે તો ક્યો દોષ છે : આ શક્કાનું સમાધાન કરાય છેसङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे । को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ॥६-१९॥ ગૃહસ્થ યતિઓને માટે સંકલ્પિત કરેલો પિડ, મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા પૂ.સાધુભગવન્તો ગ્રહણ કરે તો એમાં કયો દોષ છે? (અર્થાત્ કોઈ દોષ નથી. કારણ કે પૂ. સાધુભગવન્તોએ EDGUÉ ADDEDGE
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy