SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પરતુ તેથી જ તો સાધુધર્મને અત્યન્ત દુષ્કર વર્ણવ્યો છે.” -આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. - કહેવાનો આશય એ છે કે પોતાના માટે રાંધવાદિનો આરંભ કરીને તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવન્તોને દાન આપવાનો સંકલ્પ કરવાનું દુષ્ટ ન પણ હોય તોપણ એવો સક્કલ્પિત પિંડ લગભગ ન મળે. કારણ કે આટલા વિવેકી અને ઉપયોગવાળા દાતાઓ કવચિત જ મળે. પૂ. સાધુભગવન્તોના આચારનું પરિજ્ઞાન, વિશિષ્ટ ઔદાર્ય, વિવેક અને પ્રાસંગિક ઉપયોગ વગેરેના યોગે એવો સંકલ્પ ઉદ્ભવે. બાકી તો રાંધવા વગેરેની શરૂઆત કરતાં પૂર્વે જ યાવર્થિકાદિને ઉદ્દેશીને સંકલ્પ કરાતો હોય છે. તેથી વિવક્ષિત પિંડ અલભ્ય બનશે. આ પ્રમાણે શક્કાકારનો આશય છે. પરંતુ એ બરાબર નથી. કારણ કે આમ તો શંક્તિ કે પ્રક્ષિત વગેરે દોષોથી રહિત પિંડ પણ પ્રાયઃ વિચિત જ મળે છે. તેથી કાંઈ દુષ્ટ પિંડ થોડો લેવાય? આધાકર્માદિ દોષની શંકા જેમાં હોય તેને શક્િતપિંડ કહેવાય છે. અને મધ વગેરે (અભક્ષ્યાદિ) દ્રવ્યના સ્પર્શથી યુક્ત પિડને પ્રક્ષિતપિંડ કહેવાય છે. શંક્તિાદિ અનેક રીતે પિંડ અલભ્ય બને છે. તેથી દોષથી યુત પિંડ લેવાનું વિધાન ન કરાય. શ્લોમાનું વ૬થા આ પદ કામ અને આમ બન્ને સાથે જોડી શકાય છે. અલાભની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવ્યું. હવે રામ ની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવાય છે અથવા ઈત્યાદિ ગ્રન્થથી. તેનો આશય એ છે કે અસંકલ્પિત પિંડ જ ગ્રહણ કરવાનું વિધાન કરાય તો તેનો લાભ નહિ થાય : એવી શકાના સમાધાનમાં ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવે છે કે ઘણી રીતે એ GિDDEDDIRUDDED
SR No.023211
Book TitleSadhu Samagrya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy